રાજકોટ,તા.21
રાજકોટ: બ્રહ્માકુમારીઝ દ્વારા દાદી રતનમોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય પ્રશાસક રતનમોહિનીજી સ્વર્ગવાસ પામ્યા છે.બ્રહ્માકુમારીઝ રિટ્રીટ સેન્ટર હેપ્પી વિલેજ ત્રંબા ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં તમામ સેવા કેન્દ્રોના બી કે ભાઈ બહેનો અને બી કે ટીચર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોન ડાયરેક્ટર વરિષ્ઠ બ્રહ્માકુમારી ભારતીદીદીજીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.નોંધવું ઘટે કે હેપ્પી વિલેજનો હોલ હકડેઠઠ ભરાઈ ગયો હતો. તેટલી મોટી સંખ્યામાં દાદી રતનમોહિનીજીને શ્રદ્ધાંજલિ આપવા બી કે ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા.ભારતીદીદીજીએ દાદી રતનમોહિનીજી સાથેનાં તેમના અનુભવો એક મધુર સ્મૃતિનાં રૂપમાં યાદ કરી હતી. સ્વર્ગસ્થને ભાવવિભોર શ્રદ્ધા પુષ્પ અર્પણ કર્યા હતા.
તેમણે દાદીજીને વિશ્વ વંદનીય ગણાવી તેમની અથક સેવાઓ, સદ્દગુણો અને તાલીમ -અનુભવોને યાદ કર્યા હતા.આગળ કહ્યું કે તેઓ હંમેશા એક પ્રેરણા મુરત હતા. ઉપસ્થિત સહુ કોઈએ બે મિનિટ ઉભા થઈ મૌન અંજલિ પણ દાદીજીને આપી હતી.કાર્યક્રમનો પ્રારંભ અને સમાપન પરમાત્માની યાદ સાથે થયો હતો.
દરમિયાન દાદી રતનમોહિનીજીનાં રાજકોટ સાથેના સ્મરણોને પણ આ પ્રસંગે યાદ કરાયા હતા. તેમણે બ્રહ્માકુમારીઝમાં નવા સમર્પિત થયેલા બહેનોને આપેલી વિશેષ તાલીમ - પાલના, અવિરત કરેલી પદયાત્રાઓ અને એક કુશળ પ્રશાસક તરીકે આપેલી સેવાઓને મધુર સ્મૃતિ રૂપે આ તકે યાદ કરાયા હતા.
43 ડિગ્રી આકરા તડકામાં પણ જે રીતે બી કે ભાઈ બહેનો રાજકોટથી દૂર ત્રંબા સ્થિત હેપ્પી વિલેજ ખાતે ખાસ્સી સંખ્યામાં લોકો આવ્યા હતા તે દર્શાવે છે કે દાદી રતનમોહિનીજી સ્વર્ગસ્થ નથી પણ હૃદયસ્થ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy