વેરાવળ-પાટણ (સોમનાથ)ના આંગણે આગામી તા.27મીથી તા.2 સુધી રામકથાનું ભવ્ય આયોજન

કાળભૈરવ મંદિર (પાલીતાણા)ના મહંત શ્રી રમેશભાઈ શુકલના વ્યાસાસને 677ની રામકથા

Local | Rajkot | 21 April, 2025 | 03:08 PM
વેરાવળ પાટણ (સોમનાથ) સનાતન હિંદુ સેવા સમાજ તથા સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમો. ટ્રસ્ટ દ્વારા આયોજન: કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની કરાશે ભવ્ય ઉજવણી: પોથીના મુખ્ય યજમાન પદે કિશોરભાઈ કુહાડા પરિવાર: તૈયારીઓનો ધમધમાટ
સાંજ સમાચાર

રાજકોટ તા.21
 વેરાવળ પાટણ (સોમનાથ) સનાતન હિંદુ સેવા સમાજ તથા સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.24ના ગુરૂવારથી તા.2જી મેના શુક્રવાર સુધી સોમનાથ મંદિર, સાગર દર્શન હોલ પ્રભાસપાટણ ખાતે શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથાનો સમય બપોરે 3થી 6નો રહેશે.
 

આ જ્ઞાન સરિતાની પરમ પવિત્ર વ્યાસપીઠ પર સુપ્રસિધ્ધ કથાકાર શ્રી રમેશભાઈ શુકલ (કાળભૈરવ પીઠ (પાલીતાણા વાળા) બિરાજીને વિદ્વતાપૂર્ણ, અમૃતમય, જ્ઞાનમય વાણીમાં શ્રી રામ કતાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.

 કથાના પાવનકારી પ્રસંગોની ઉજવણી અંતર્ગત તા.24ના બપોરે પોથી યાત્રા, તા.25ના શિવ વિવાહ, તા.26ના શ્રી રામ જન્મોત્સવ, તા.27ના શ્રી રામ વિવાહ, તા.28ના કેવટ પ્રસંગ, તા.29ના ભરત મિલાપ, તા.1લી મેનાં સુંદરકાંડ તથા શ્રી રામેશ્ર્વર પૂજન તથા તા.2જીના શ્રી રામ રાજયાભિષેક પ્રસંગની ઉજવણી સાથે કથાની પૂર્ણાહુતિ થશે.
 

શ્રી કાલ ભૈરવ પીઠ (પાલીતાણા)ના શ્રી રમેશભાઈ શુકલની આ 677મી રામકથા છે. વ્યાસપીઠ પર બિરાજમાન થનારા ખ્યાતનામ કથા વકતા, પ્રખર ભાગવતાચાર્ય શ્રી કાળ ભૈરવ પીઠાધીશ્ર્વર શ્રી રમેશભાઈ શુકલ કથાનું મધુર શૈલીમાં રસપાન કરાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

 પોથીના મુખ્ય યજમાન અખિલ ગુજરાત માછીમારી મંડળ (ગુજરાત)ના પ્રમુખ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેકટર તથા વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા છે.

 આ પ્રસંગે રસિકભાઈ આંબલીયા (રાજકોટ), જસમતભાઈ ગાબાણી, નિશાંતભાઈ શાહ (મુંબઈ), ધનસુખભાઈ પીઠક, વિક્રમભાઈ સુયાણી, અજયભાઈ શુકલ તેમજ સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા, નિલેશભાઈ લુંભાણી, મીતેશભાઈ ઉડવીયા, જીતુભાઈ સોની, મહેન્દ્રભાઈ સોની, મુકેશભાઈ માળી, જયશ્રીબેન પંડયા સહિતના અન્ય મહાનુભાવો પધારશે. સમસ્ત કુહાડા પરિવારે રામ કથામાં પધારવા અનુરોધ કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj