રાજકોટ, તા.21
23 મી એપ્રિલ એટલે વિશ્વપુસ્તક દિવસ. આ દિવસે વિશ્વના પ્રખર સાહિત્ય સર્જક (લેખક) વિલિયમ શેક્સપિયરનો જન્મ 23 મી એપ્રિલ -1564 ના રોજ થયેલ, તેમજ જોગાનુજોગ 23 મી એપ્રિલ - 1616 ના રોજ મૃત્યુ પણ થયું. યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં "વિશ્વ પુસ્તક દિવસ" ઉજવવાનું જાહેર કર્યું. સાથે-સાથે "વિશ્વકોપીરાઇટ દિવસ" તરીકે પણ ઉજવાય છે. ભારત સરકારે 2001 થી આ દિવસને "વિશ્વ પુસ્તક દિવસ" ની માન્યતા આપી છે.
પી.ડી.યુ. મેડીકલ કોલેજ ના લાયબ્રેરિયન ડો. રાજેશ એચ. ત્રિવેદી જણાવે છે કે મનુષ્ય ને પોતાના આંતર ચક્ષુ વડે જ્ઞાન ના દિવ્ય પ્રકાશ ને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને ઉન્નત માધ્યમ રહેલું છે. જયારે એટલું તો ચોક્કસ કહેવાય કે માનવીના જીવનમાં ધનબળ - શક્તિબળ આયુષ્યબળ કરતા પણ ચડિયાતું પુસ્તકબળ છે. પુસ્તક એ તમારો સર્વાધિક ઉત્તમ મીત્ર છે. એટલે જ કહેવાય છે કે પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી મોખરે છે. જયારે વિચારો ના યુદ્ધ માં પુસ્તકો જ શસ્ત્ર છે.
લખવું એ એક કળા છે, એમ વાંચવું પણ એક કળા જ છે. વાંચી જવું એ પુરતું નથી. કેવી ઢબથી વાંચવું, ક્યાં અટકવું, ક્યાં ન અટકવું એ મહત્વનું છે. ફક્ત વાંચવા ખાતર વાંચવું એ ઔપચારિકતા ને કદી ન્યાય ન આપવો. "જે સાચું એ મારું" ન્યાયે જે પુસ્તકમાંથી સાચું જ્ઞાન - જાણકારી કે માહિતી પ્રાપ્ત થાય તે પુસ્તક ઉત્તમ. ભલે એ ધાર્મિક હોય, નોવેલ પુસ્તક હોય, વાર્તા હોય, તે સાચું ગણાય. વિશેષ: "પુસ્તકનું કામ ચાણક્ય જેવું છે. જે તમને રાજા બનાવવાની બધી જ ખૂબીઓ આપે છે."
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy