ભોપાલ: દેશ અને દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજન સમાન મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ રોજ આવાગમન કરે છે જેમાં સર્જાતા માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશ તથા ઉતરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા છ અકસ્માતોમાં 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને 26 ઈજાગ્રસ્ત થયા છે.
મધ્યપ્રદેશમાં ત્રણ અને ઉતરપ્રદેશમાં ત્રણ અકસ્માત નોંધાયા હતા. મહાકુંભમાં આવતા-જતા મુસાફરોના વાહનો વચ્ચે અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશના સિંધિમાં પાંચ મિત્રો કુંભમાં જઈ રહ્યા હતા. તે સમયે તેમની કાર એક કેનાલમાં ખાબકતા ચાર મિત્રોના મૃત્યુ થયા છે અને એકને ઈજા થઈ છે.
રવિવારની રાત્રીએ જબલપુર મહાકુંભથી પરત આવી રહેલા વૃદ્ધ યુગલ સહિત છ લોકોના ગ્રુપને મધ્યપ્રદેશમાં થયલા અકસ્માતમાં બેના મૃત્યુ થયા હતા. ઉતરપ્રદેશમાં પણ કાર-ટ્રક અથડાવાની ઘટનામાં છ ના મોત થયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy