(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.30
માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા છે. આ લોકોને નોનવેજ ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયેલ હોવાનું સામે આવ્યું છે અને બાળકો સહિતના તમામ લોકો સારવાર હેઠળ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખારા વિસ્તારમાં શહેનસાવલીના પાટિયા પાસે રહેતા રહીમભાઈ કરીમભાઈ મોવરના પરિવાર 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં તેઓને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવેલ છે અને આ લોકોને બપોરે નોનવેજમાં ઝીંગાનું શાક ખાધા બાદ તે લોકોને ઝાડા ઉલટી થવા લાગેલ છે જેથી ફૂડ પોઇઝનિંગ થતાં તમામ લોકોને સારવારમાં ખસેડાયેલ છે.
વધુમાં મળી રહેલ માહિતી મુજબ તેઓના પરિવારમાં કુલ 16 સભ્યો જે પૈકીનાં 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું છે. જેમાં ફાતિમાબેન હસનભાઈ (14), હાસમ સીદિકભાઈ (23), શાબાદ હસનભાઈ (15), હમીદા હસનભાઈ (9), અફસાના સિદ્દીકભાઈ (15), રેશ્માબેન સિદ્દીકભાઈ (15), શરીફાબેન રહીમભાઈ (40), હસનભાઈ રહીમભાઈ (35), ઝુલેખાબેન હસનભાઈ (35), રજીયાબેન હસનભાઈ (7) સહીત કુલ 14 લોકો સારવારમાં છે. આ બનાવની માળીયા તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy