નવી દિલ્હી,તા.10
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનાં માહોલને ધ્યાને રાખીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં આઠ મળીને દેશભરનાં 32 એરપોર્ટનો નાગરીક ઉડ્ડયનો માટે તા.15 મી સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા તથા સંબંધિત ઉડ્ડયન વિભાગ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તા.14 સુધી (તા.15 ને સવારે 5.29 સુધી) પ્રભાવી રહેશે.
ભારત-પાકની હાલતને ધ્યાને રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને એર સ્પેસના ઉપયોગ વિશે પણ ચોકસાઈ રાખવામાં આવી રહી છે.
એરપોર્ટ ઓથોરીટીએ મુંબઈ-દિલ્હી ફલાઈટનાં 25 એર ટ્રાફીક સર્વીસ રૂટના ફેરફાર પણ યથાવત રાખ્યા છે અને વર્તમાન એડવાઈઝરી મુજબ વૈકલ્પિક રૂટના આયોજન કરવા સુચવ્યુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy