(ધર્મેશ કલ્યાણી) જસદણ તા. 15
જસદણ તાલુકાનાં 5 શિક્ષકો અને અવતાર ચેરીટેબલ ટ્રસ્ટને ગાંધીનગરમાં 27 એપ્રિલે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત થશે. જસદણ તાલુકાનાં 5 શિક્ષકો તથા એક ટ્રસ્ટ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ સહિત રાજકોટ જિલ્લાના 36 શિક્ષકોને પાટનગર ગાંધીનગરમાં સન્માનિત કરાશે. પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે, ત્યારે પર્યાવરણ બચાવવા માટે અને આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગની દુરોગામી અસરોથી બચાવવા સમાજને સૌથી વધુ ભરોસો હોય તો તે શિક્ષક સમુદાય પર છે.
ગુજરાતના શિક્ષકોએ "હું છું પર્યાવરણ સંરક્ષક" મુહિમ ચલાવી છે, જેમાં પ્લાસ્ટિક મુક્ત શાળા અને પર્યાવરણ સંદર્ભે નાનામાં નાની કામગીરીને પણ બિરદાવવાનો સંકલ્પ આજે વટવૃક્ષ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના મદદનીશ સચિવ-પુલકિત જોષીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતનાં શિક્ષકો પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કટિબદ્ધ બન્યા છે.
ત્યારે આવા શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ માધવ ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આગામી 27 એપ્રિલના રોજ ટાઉનહોલ, ગાંધીનગર મુકામે યોજાશે. જેમાં અંદાજિત 2500 થી વધુ શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.જસદણ તાલુકાનાં 5 શિક્ષકો સાથે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટની પર્યાવરણ સંરક્ષણની ઉમદા કામગીરી બદલ તેને સન્માનિત કરાશે.રાજકોટ જિલ્લાના સંયોજક વૈશાલીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના કુલ 36 જેટલા શિક્ષકો - પર્યાવરણ સંરક્ષકોનું સન્માન થવાનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy