કાશ્મીરના રામબનમાં ગુજરાતના 50 મુસાફરો ફસાયા : ખાવા પીવાના ફાફાં : બાળકો - વૃદ્ધોની હાલત કફોડી

Gujarat | Rajkot | 21 April, 2025 | 12:11 PM
મુસાફરોએ વીડિયો બનાવી મદદ માંગી : પેસેન્જર સુરક્ષિત : ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે
સાંજ સમાચાર

રાજકોટ,  તા.21
છેલ્લા થોડા દિવાસો થી કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે.

આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. હાલ મુસાફરો શ્રીનગર પરત લાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા લોકોનો વિડીયો વાયરલ થયો છે જેમાં લોકો મદદ માંગી રહ્યા છે. 

વીડિયો થી જાણવા મળ્યું કે, ગાંધીનગર અને પાલનપુરના તમામ ગુજરાતી મુસાફરો અંબિકા નામની ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે. બસમાં નાનાં બાળકોથી લઈને ઉંમરલાયક વૃદ્ધો પણ જોવા મળી રહ્યાં છે. ઘણા લાંબા સમયથી ખાધા-પીધા વગર ગભરાયેલા મુસાફરોએ અંતે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરતા જણાવ્યું કે, અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે, અહીં કોઈપણ ખાવા-પીવાનું મોકલતા નથી, અમારાં છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાઇ રહ્યાં છે. અમને લેવા આવો ગમે-તેમ કરીને. વિસ્તાર પણ ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છો.

ગાંધીનગર સેકટર-14માં રહેતા અને હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા બાબુભાઈ સોલંકીના પુત્ર યુવરાજ સોલંકીએ આજે સવારે જણાવ્યું કે, મારા પિતા બાબુભાઈ સહિતના ત્યાં સુરક્ષિત છે. ભૂસ્ખલનના લીધે રસ્તા બંધ થઈ ગયા છે.

તમામ પ્રવાસીઓને આજે સવારથી CRPF કેમ્પમાં લઈ જવાની તજવીજ શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. રસ્તો ક્લિયર થઈ ગયા પછી તમામને પરત લાવવામાં આવશે. ત્યાં પોસ્ટ પેડ કાર્ડની સર્વિસ જ ચાલુ છે. એટલે મારા પિતા સાથે અન્ય કોઇના ફોન મારફતે વાત થઈ છે.

મોડી રાત્રે ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, 20-25 મિનિટ પહેલાં ત્યાંના વહીવટી તંત્ર અને આર્મી સાથે વાત થઈ છે. જેઓના કહેવા મુજબ બધા પેસેન્જર સુરક્ષિત છે. જેઓને હમણાં જમવાનું પણ આપવામાં આવ્યું છે.

વાત થયા મુજબ ભૂસ્ખલનના લીધે રસ્તો બંધ છે. નેટવર્ક ઈસ્યુ હોવાથી મુસાફરો સાથે બહુ વાત થતી નથી પણ કેતન અને બાબુભાઈ સાથે વાત થઇ છે. આર્મી તેમજ ત્યાંનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રસ્તો ક્લિયર કરાવવામાં લાગ્યું હોવાનું જાણ્યું છે, ગાંધીનગરના તમામ મુસાફરો સુરક્ષિત છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj