જામનગરના 70 પ્રવાસીઓ કાશ્મીરમાં સલામત: કલેકટર

Saurashtra | Jamnagar | 25 April, 2025 | 12:59 PM
સાંજ સમાચાર

જામનગર તા.25: કાશ્મીરના પહેલગામમાં આંતકવાદી હુમલા વચ્ચે જામનગરના 70 પ્રવાસી ફસાયા છે. આ તમામ યાત્રિકો ભયના માહોલ વચ્ચે સુરક્ષિત છે. પરિવાજનો તેમની સાથે વીડિયો કોલથી સંપર્કમાં છે. આ તમામ યાત્રિકો કથા સાંભળવા ગયાનું જાણવા મળ્યું છે. યાત્રિકોને તત્કાલ ટીકીટ મળશે તો વહેલા પરત ફરશે તેમ કલેકટરે જણાવ્યું હતું.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ હાય એલર્ટ જાહેર કરાયું છે. આતંકવાદીઓએ 27 પ્રવાસીઓની હત્યા કરતા કાશ્મીર ગયેલા લોકોના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ત્યારે આતંકવાદી હુમલા વચ્ચે જામનગરના 70 યાત્રિકો પણ ફસાયા છે. જો કે, તમામ લોકો ભયના માહોલ વચ્ચે સુરક્ષિત છે. યાત્રિકો પરિવારજનો સાથે વીડિયો કોલથી સંપર્કમાં છે.

આ યાત્રિકો કથા સાંભળવા શ્રીનગર ગયા હતા. આ યાત્રિકો પહેલગામની ઘટના બાદ ત્યાં ફસાયા છે. જો કે, તમામ યાત્રિકો સુરક્ષિત છે અને ગુરૂવારે સવારે શ્રીનગરથી જમ્મુ તરફ બસ મારફતે રવાના થયા છે.

યાત્રિકોની રિટર્ન ટિકિટ 28 એપ્રિલની હતી પણ હાલ શ્રીનગરમાં રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તમામને જમ્મુ તરફ મોકલવામાં આવ્યા છે. યાત્રિકો ગુરૂવારે સાંજ સુધીમાં જમ્મુ પહોંચી જશે.

આ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, 70 યાત્રિકો ગ્રુપમાં કાશ્મીર ગયા હતાં. જે તમામ સુરક્ષિત છે. અધિકારીઓએ યાત્રિકો સાથે વાત કરી છે. તેઓની ટીકીટ 25 એપ્રિલની છે. પરંતુ જો તત્કાલ ટીકીટ મળશે તો તમામ થાત્રિકો વહેલા પરત ફરશે.

આતંકવાદી હુમલા બાદ કારશ્મીરમાં ફસાવેલા પ્રવાસીઓના પરિવારજનોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. જો કે, જામનગરથી કારશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે પરંતુ ઝડપથી પરત ફરે તે માટે પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj