(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.17
ચોટીલા અનુ.જાતિ સમાજ દ્વારા પોલીસ મથકે આવેદન પાઠવાયું હતું. જેમાં કથાકાર દ્વારા બંધારણ સભા અને ઘડવૈયા વિશે અપમાન જનક વાણી વિલાસ કર્યો હોવાથી કાર્યવાહીની માગ કરી હતી. ચોટીલા અનુ.જાતિ સમાજ દ્વારા કથાકાર ચંદ્ર ગોવિંદદાસ દ્વારા જાહેરમાં ભારતી બંધારણનું અપમાન કરી બંધારણ સભા અને બંધારણના ઘડવૈયાઓને મૂર્ખાઓ કહી સ્ત્રીઓને વ્યાભિચારમાં ધકેલનારું બંધારણ છે.
તેમ કહી બંધારણ સભાના વડા ડો. રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તથા જેમને સમગ્ર ભારત બંધારણને ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં ધાર્મિક પ્રચારના માધ્યમથી અપમાન કરતા તેમની વિરુદ્ધ રાષ્ટ્ર દ્રોહ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માગ કરી હતી.
આ આવેદન પાઠવવામાં ચોટીલાના ડો. રામભાઈ પરમાર, અશોકભાઈ પરમાર, જગદીશભાઈ પરમાર, ભુપતભાઈ સાગઠીયા અને મનવીરભાઈ પરમાર વગેરે સાથે ચોટીલા મામલતદાર કચેરી અને નાની મોલડી પોલીસ સ્ટેશન પીઆઇને આવેદનપત્ર આપી કથાકાર ચંદ્ર ગોવિંદદાસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી દર્શાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy