નવી દિલ્હી,તા.15
ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે તેવા સમયે ભારતીય હવામાન વિભાગ દ્વારા ટાઢક આપતા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ આગામી ચોમાસુ ધમધોકાર રહેશે અને નોર્મલ કરતા 105 ટકા વરસાદ પડશે. લા નીનાની પરીસ્થિતિ ન્યુટ્રલ રહેવાને કારણે ચોમાસાનુ જોર સારુ રહેશે. અલ નીનોની સ્થિતિ પણ સર્જાવાની શકયતા ન હોવાનું સ્પષ્ટ કરાયું છે.
હવામાન વિભાગે આગામી ચોમાસા માટેની પ્રથમ આગાહીમાં કહ્યું છે કે સાનુકુળ સંજોગોને કારણે ચોમાસુ રેલમછેલ પાણી વરસાવશે અને લાંબાગાળાની સરેરાશનો 105 ટકા વરસાદ વરરશે. સમગ્ર દેશમાં સરેરાશથી વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચીવ એમ.રવિચંદ્રને કહ્યું કે, ચોમાસાનો વરસાદ 105 ટકા થઈ શકે છે. હવામાન વિભાગની આ આગાહી ભારતીય કૃષી અને અર્થતંત્ર માટે ઘણી સારી નિશાની છે. કારણ કે કૃષીક્ષેત્રનો જીડીપીનો હિસ્સો 18 ટકા છે અને ભારતની 80 ટકા કૃષી નૈઋત્ય ચોમાસાના આધારે છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે નૈઋત્ય ચોમાસાનો વરસાદ સામાન્યથી વધુ અથવા તો તેનાથી પણ વધુ થવાની પુરી સંભાવના છે. આ ટકાવારી 59 ટકા થાય છે. ભારતમાં ચોમાસાની સીઝન જૂનથી સપ્ટેમ્બર સુધીની હોય છે.
ગત વર્ષે પણ ચોમાસુ નોર્મલ રહ્યું હતું. ચોમાસાનો વરસાદ 105 થી 110 ટકા વરસે તો સામાન્યથી વધુ વરસાદ ગણવામાં આવે છે. અલનીનોની સ્થિતિ ન્યુટ્રલ થઈ ગઈ હોવાને કારણે ચોમાસાને સપોર્ટ મળશે અને ચોમાસુ ધમધોકાર રહેશે.
દેશની 60 ટકા ખેતી હજુ ચોમાસા પર જ આધારિત હોવાને કારણે હવામાન ખાતાની આ આગાહીથી કૃષી, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને મોંઘવારી એમ ત્રણેય ક્ષેત્રમાં રાહત થઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy