(મિલન ઠકરાર) વેરાવળ, તા. 10
દેશમાં સર્જાયેલી આપાતકાલીન પરિર્સ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટ અને અન્ય તૈયારીઓ થઈ રહી છે. તે જ રીતે, ગીર સોમનાથ જિલ્લામાં પણ કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આરંભાઈ છે. આ તૈયારીઓની સમીક્ષા માટે પ્રભારી સચિવ વિશેષ રૂપે ગાંધીનગર થી ગીર સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં અને તેમણે જિલ્લાની તૈયારીઓની સમીક્ષા જિલ્લાના શિર્ષ અધિકારીઓ સાથે કરી હતી.
સચિવે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અત્યારે દેશમાં સર્જાયેલી સ્થિતિમાં આપણું કર્તવ્ય છે કે, આપણે સતત એલર્ટ મોડ પર રહીએ અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સભ્ય રહીએ તે સમયનો તકાજો છે.
સચિવે જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ જેવી કે, રક્તની ઉપલબ્ધતા ઓક્સિજન અને વેન્ટિલેટર એમ્બ્યુલન્સ ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
સચિવે પાણી, ટ્રાન્સપોર્ટેશન, સોમનાથ મંદિરની સુરક્ષા, લોકો દ્વારા ખોટી માહિતીનું પ્રસારણ ન થાય તે માટેની કાળજી સહિતના મુદ્દાઓ સ્પષ્ટ કરીને તે માટે લેવાની દરકાર બાબતે ઉપસ્થિત અધિકારીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાય એ પ્રભારી સચિવે આપેલા માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને જિલ્લાના અધિકારીઓ નીચેના કર્મચારીઓને માર્ગદર્શિત કરે અને આવનારી કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સજ્જ રહે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy