(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.10
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં કોઈ ચોરી કરતી ટોળકી ઉતરી હોય તેમ છેલ્લા એક જ દિવસમાં ઘરફોડ ચોરી, દાનપેટી તથા બાઈક ચોરીના બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રથમ બનાવમાં પીપળવા ગામે રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં પ્રવિણભાઇ આલુભાઇ બાંભણીયા નામના 37 વર્ષિય વેપારી ગત તા.6 ના રોજ વહેલી સવારના તેમના પત્ની સાથે તેમના કાકાના દિકરા સંજયભાઇની જાનમાં મેથળા ગામે ગયેલ હતા અને આખો દિવસ તેઓ જાનમાં રોકાયેલ હતા.
સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ પીપળવા ગામે પરત આવેલ તે વખતે વેપારીના મકાનની દિવાલમાં આવેલ જાળીયું તોડી કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરમાં રહેલ શાકભાજીનાં ધંધાના ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા 30,000 ચોરી કરી લઇ નાશી ગયો હતો.
જ્યારે બીજા બનાવમાં પીપળવા ગામે આવેલ સ્વામી નારાયણ મંદીરની અંદર રહેલ દાન પેટી ગત 1 ના સાંજના આશરે આઠેક વાગ્યાથી તા.2 ના વહેલી સવારના આશરે સાડા છ વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઇસમ મંદીરના પાછળના ભાગે રહેલ બારીમાંથી મંદિરની અંદર પ્રવેશ કરી દાનની રકમ આશરે છ થી સાત હજાર રૂપીયા હતા તે ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ત્રીજા બનાવમાં ખાંભા ગામે રહેતા ધરમશીભાઇ નરશીભાઇ કળસરીયા નામના 54 વર્ષિય ખેડૂતે ગતતા.8 ના રોજ રાત્રે 8/30 વાગ્યે પોતાના ઘર સામે રાખેલ મોટર સાયકલ ઘર બહાર જોવામા ન આવતા કોઇ અજાણ્યો ચોર ઇસમ મોટર સાયકલ ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy