રાજકોટ, તા.10
બાંધિસત્વ આંબેડકર બૌધ્ધવિહાર તથા સુગમ ગૌતમ બુધ્ધ વિહારના સંયુક્ત ઉપક્રમે તથા મહાબોધી મહાવિહાર બુધ્ધગયા મુક્તિ આંદોલનના સમર્થનમાં મહાકારૂણી તથાગત ગૌતમ બુધ્ધની 2569 મી જન્મજ્યંતિ મહોત્સવ નિમિતે તા.12 મે ને સોમવારના રોજ સવારે 9 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સિવિલ હોસ્પિટલ પાસેથી બુધ્ધ વિહાર કણકોટ પાટિયા સુધી ભવ્ય ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં કાલે તા.11 ના સવારે 9 થી સાંજે 5 દરમ્યાન પ્રબોધન પ્રશિક્ષણ શિબિર યોજાશે. તેમાં આયુ.પી.આર. આંબેડકર સાહેબ આયુ.એડ.પ્રિયંકા રાખૈયા મુખ્ય વક્તા છે. રાત્રે 8 કલાકે ઇતિહાસ પર ફિલ્મ ધ ફૂલે ની પ્રદર્શની તેમજ સાંજે બૌદ્ધ સાંસ્કૃતિક પ્રદર્શની ખુલ્લી મુકાશે.
તા.12ના સવારે 9 કલાકે ધમ્મયાત્રા, બપોરે 1 કલાકે મૈત્રી ભોજન, સાંજે 4 થી 6 દરમ્યાન ભારતના ગૌરવવંતા બૌદ્ધ ઇતિહાસની ઝલક, સાંજે 6 થી 8 ધમ્મ દેશના સુગમ બુદ્ધવિહાર કાર્યક્રમ બાદ સુજાતા ભોજન અને રાત્રે રાત્રે 9 કલાકે સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતે બુધ્ધ ભીમ ક્રાંતિ ગીતોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહનભાઈ રાખૈયા, દીપંકર સુમન, અમુભાઈ સોલંકી, જે.ડી.ચાવડા, સુર્વસેન તથાગત, જીતેન્દ્ર મહીકા, હિતેષ રાઠોડ, હરેશભાઈ તથા તમામ ધમ્મ બંધુઓ શિકાર આપી રહ્યા છે. ‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલા જીતેન્દ્ર મહીકા, મોહન રાખૈયા, સુર્વસેન તથાગત, અમુભાઈ સોલંકી, વિનોદભાઈ અને ડો. એન.પી.પરમાર આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy