નવી દિલ્હી, તા.9
47 વર્ષના અમેરિકી બાયોહેકર અને ઉદ્યોગપતિ બ્રાયન જોન્સન મોતને માત દેવામા લાગ્યા છે. હાલમાં જ ભારત આવેલા જોનસને પોતાના એજ રિવર્સિંગ બ્લુ પ્રોટોકોલ લોન્ચ કર્યુ હતું તેમાં ઢગલાબંધ સપ્લીમેન્ટસ, ટેસ્ટ, એકસપરિમેન્ટસ, ખાસ પ્રકારનો ડાયેટ પ્લાન અને એલઈડી લાઈટ એકસપોઝર જેવા તમામ ઉપાયો સામેલ છે.
ભારતમાં પણ આવા લોકોનું એક મોટું ગ્રુપ બની ગયુ છે, જે પોતાના શરીર અને મગજને બહેતર બનાવવા માટે દરેક પ્રકારના ઉપાય લગાવી રહ્યા છે. તેમાં કડકડતી ઠંડીમાં બરફ સ્નાનથી લઈને રેડલાઈટ થેરાપી અને ઢગલાબંધ સપ્લીમેન્ટસના ઉપયોગ સામેલ છે.
બાયોહેકીંગ શું છે?
બાયોહેકીંગ એક એવો શબ્દ છે જે શરીરની કામ કરવાની ક્ષમતાને બહેતર બનાવવા અને વય વધારવાની રીત સાથે જોડાયેલા છે. અશોક યુનિવર્સિટીના બાયો સાયન્સ અને હેલ્થ રિસર્ચના ડીન અનુરાગ અગ્રવાલ કહે છે કે બાયો અને હેકીંગ આ બે શબ્દો તબીયત સાથે જોડાયેલ બાયોલોજીકલ પ્રક્રિયાઓને અસર કરે છે. તે નોન ટ્રેડીશન છે અને મેડીકલી તેના પર મોહર નથી પડી. જો કે તેના પાછળ કેટલાક વૈજ્ઞાનિક પુરાવા છે. પરંતુ કિલનિકલ પ્રેકિટસમાં આવવા માટે તે પુરતા નથી.
ભારતમાં કેવી રીતે ડેવલપ થયુ બાયોહેકીંગનું ચલણ?
લાઈફ કોચ સંજીવ નાયર કહે છે કે, બાયો હેકીંગ આધુનિક દવાઓના પરિણામથી નાખુશીના કારણે વિકસીત થયું છે. લાંબી વય અને હેલ્ધી લાઈફમાં વધતો રસ લોકોને બાયોહેકીંગ તરફ આકર્ષિત કરી રહ્યું છે.
શું આ નુકસાનકારક પણ હોઈ શકે છે?:
ડો. અનુરાગ અગ્રવાલ જણાવે છે કે, બાયો હેકીંગ ખતરનાક રસ્તો પણ બની શકે છે. મોટાભાગની બાયો હેકીંગ ક્રિયાઓ ખતરાને જાણ્યા વિના કરવામાં આવે છે. તેઓ વજન ઘટાડવા માટે ડાયોબીટીસની દવા ઓજેમ્પિકના હાલના ચલણનું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે આ દવા અતિ સ્થૂળતા અને મેડીકલ કોમ્પ્લીકેશન્સનો સામનો કરી રહેલા લોકો માટે સાચી હોઈ શકે છે પણ જો કોઈ મુવી સ્ટાર પોતાનું વજન ઘટાડવા માટે આ દવા લે છે તો તે હેકીંગ છે.
હું તેનું સમર્થન નથી કરતો, ડો. અગ્રવાલે જણાવ્યું હતું કે આપણું શરીર હંમેશાને માટે જીવવા નથી બન્યું. કોઈપણ જૂનુન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે.
રિકવરી માટે લોકો કયા કયા ઉપાય કરે છે?
39 વર્ષની ન્યુટ્રિશનિસ્ટ તાન્યા મલિક બરફના પાણીમાં ડૂબકી લગાવે છે એ પણ ત્યારે જયારે દિલ્હીમાં કડકડતી ઠંડી પડતી હોય છે. તાન્યા કહે છે કે આઈસ બાથથી મારી ઈમ્યુનસિસ્ટસ મજબૂત બને છે.
40 વર્ષના રાકેશ સોમાણી સૂર્ય પ્રકાશમાં બેસે છે, ઘાસ પર ઉઘાડા પગે ચાલે છે. રેડલાઈટ થેરાપી પણ કરે છે. ગ્રાઉન્ડીંગમેટસનો ઉપયોગ કરે છે, તેઓ બ્લુ લાઈટ બ્લોકીંગ ચશ્મા પહેરે છે જેથી લાંબુ જીવન જીવી શકે. પેટના માઈક્રો બાયોમનું પણ એનાલીસીસ પણ કરાવે છે. પોતાના બ્લડ એજ ચેક પણ કરાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy