રાજકોટ,તા.21
શ્રી વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, જશ-પ્રેમ ધીર સંકુલ ખાતે પૂ.ધીરગુરૂદેવ તથા પૂ.ગુણીબાઈ મ.સ., પુ.નીલમબાઈ મ.સ.પૂ.મીનાજી મ.સ.ની નિશ્રામાં જૈનશાળા અનુમોદના તકતી અનાવરણ સમારોહમાં ગુરુદેવે કહેલ કે આજે જૈન પાઠશાળાઓને આગળ આવવાની જરૂર છે.
એટલું જ નહિ માવતરોએ પણ બાળકોને પ્રેરણા આપવાની જરૂર છે.વધુમાં કહેલ કે જૈનશાળાએ જિનશાસનનો પાયો છે. જૈનશાળામાં મુહર-કાર, જમણવાર અને સામાયિક, પ્રતિક્રમણ, કંઠસ્થ કરનારને ઈનામો આપવા જરૂરી છે.
લાભુબેન અનંતરાય અદાણીની સ્મૃતિમાં જૈનશાળા અનુમોદના યોજનાના લાભાર્થી જીતુભાઈ અને કોશાબેન અદાણીનું સન્માન તેમજ તકતી અનાવહણ વિધિ કરવામાં આવેલ.મોટાસંઘના પ્રમુખ હરેશભાઈ વોરાએ શુભેચ્છા પાઠવીને વધુને વધુ જૈનશાળા પ્રત્યે સજાગ રહેવાના ભાવ દર્શાવ્યા હતાં.જીતુભાઈ બેનાણી, રાજેશ વિરાણી ભારતેશ કામદાર, તારક વોરા, વિશાલ શાહ, જશવંત મણિયાર, પ્રદીપ દોશી, જયશ્રીશાહ, વગેરેએ અદાણી પરિવારની અનુમોદના કરેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy