જામ ખંભાળિયા, તા.13
ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે જિલ્લાના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતોના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તેમણે પાણી પુરવઠો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો, સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભ, જિલ્લામાં કાર્યરત પ્રોજેક્ટસ સહિતના અન્ય વિભાગોના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી.
વધુમાં જિલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા, પાણી પુરવઠા સહિતની સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત, કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચાડવા તથા સાંસદ અને ધારાસભ્યના કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું. ઉપરાંત વિવિધ વિભાગના પડતર પ્રશ્ર્નો અંગે માહિતી મેળવીને તેના પર વિસ્તૃત ચર્ચા કરી, તાકીદે કામો પૂર્ણ કરવા મંત્રીએ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy