જામકંડોરણાના દડવી ગામના ચકચારી ખૂન કેસમાં આરોપી દંપતીનો નિર્દોષ છૂટકારો

Crime | Dhoraji | 21 April, 2025 | 11:01 AM
સાંજ સમાચાર

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)ધોરાજી, તા.21
જામકંડોરણાના દડવી ગામના ચકચારી ખૂન કેસમાં આરોપી દંતીનો નિર્દોષ છૂટકારો થવા પામેલ છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે વર્ષ-2022 ની સાલમાં જામકંડોરણા તાલુકાનાં આમ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ જીવાત પડી ગયેલી લાશ મળતા દડવી ગામનાં રસીકભાઈ ચૌહાણએ રાજકોટ રહેતા ફરીયાદી ભરતભાઈને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા નાગલબેન ક્યાં છે ?

જેથી ફરીયાદી ભરતભાઈએ રસીકભાઈને જણાવેલ કે મારી માતા દંડવી ગામે જ છે અને જો દડવી નહી હોય તો મારા બહેનનાં ઘરે હશે અને ફરીયાદીએ તેનાં બીજા ભાઈ બહેનોને ત્યાં તપાસ કરી રસીકભાઈને જણાવેલ મારી માતા નાગલબેન ત્યાં નથી. નથી. જિથી જેથી રસીકભાઈએ ફરીયાદી ભરતભાઈને જણાવેલ કે પોલીસવાળા આપણાં ગામનાં કુવામાંથી મળેલ એક અજાણી મહીલાની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે.

જેથી ફરીયાદી ભરતભાઈ તથા તેનાં બીજા ભાઈઓ રાજકોટ રહેતા હોય સિવિલ હોસ્પિટલમાં જઈ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા પી.એમ. રૂમમાં મરણ જનારની લાશ પડેલ હોય તે ફરીયાદીની માતા નાગલબેન હોય અને નાગલબેનની લાશમાં કાનનાં સોનાનાં બુટીયા ન હોય અને મરણ જનારનાં ચશ્મા તેમજ મોબાઈલ મળી આવેલ ના હોય અને શરીરે ઓઢણુ ઓઢેલ ના હોય તેવી અકસ્માત નોંધ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.

ત્યાર બાદ પોલીસે તપાસ કરતા મરણ જનારનાં મોબાઈલમાં આરોપી ચંદુભાઈએ પોતાનું સીમ કાર્ડ ચડાવતા ગુન્હો ડીટેકટ થયેલ અને આરોપી ચંદુભાઈ મકવાણા અને તેની પત્નિ હંસાબેન મકવાણાએ સોનાનાં બુટીયા લુટવાનાં ઈરાદે મરણ જનાર નાગલબેનને પોતાનાં ઘરે બોલાવી ગળેટુપો આપી ખૂન કરી નાખેલ હોય અને સોનાનાં બુટીયા તથા મોબાઈલ લૂંટી લીધેલ અને પુરાવાનો નાસ કરવા નાગલબેનની લાશને ગામનાં પાદરમાં આવેલ અવાવરુ કુવામાં નાંખી દીધેલ હોય, તે મલતબની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ તા: 30/04/2022 નાં રોજ નોંધવેલ હતી.

ફરીયાદ નોંધાયા બાદ પોલીસે મરણ જનારનો મોબાઈલ કબ્જે કરેલ અને ખરેડી ગામના સોની દેવચંદભાઈ વેલજીભાઈ એન્ડ સન્સ પાસેથી સોનાનાં બુટીયા કબ્જે કરેલ અને નિવેદનો નોંધી જામકંડોરણા પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં આરોપી દંપતિ હંસાબેન અને ચંદુભાઈ મકવાણા વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ. બાદમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં ફરીયાદી તથા તેનાં ભાઈ બહેનો અને સોની હરેશભાઈ, ડોકટર તથા વોડાફોન અને જીયો કંપનીનાં નોડલ ઓફીસરો તથા અન્ય સાહેદોની જુબાની થયેલ.

જેમાં આરોપી દંપતિ વિરૂધ્ધ ફરીયાદ મુજબનો એક પણ પુરાવો રેકર્ડ પર આવેલ નહી. જે અંગેની તમામ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ આરોપી દંપતિનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તરફથી રજુ કરાયેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ છી એ. એમ. શેખએ આરોપી દંપતિ હંસાબેન અને ચદુભાઈ મકવાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ તા: 19/04 નાં રોજ ફરમાવેલ છે.આ કામમાં આરોપી દંપતિ તરફે તાલુકા કાનુની સેવા સમિતિ-ધોરાજીનાં એડવોકેટ શ્રી સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.

ટોળામાં સામે લોકો ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોવાનો અને બુટલેગર હોવાનો આક્ષેપ : ઇજાગ્રસ્ત નિવૃત આર્મીમેન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ...

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj