હૈદરાબાદ તા.19
મુસ્લીમોનાં પવિત્ર રમઝાન મહિનામાં મુસ્લીમ સરકારી કર્મચારીઓને કામના કલાકોમાં છુટછાટ આપવામાં તેલંગણા સરકારના નિર્ણય સામે ભાજપે રાજકીય તડાપીટ બોલાવ્યાના બીજા જ દિવસે હવે તેના સાથીપક્ષ એવા ટીડીપીએ આંધ્રપ્રદેશમાં મુસ્લીમ કર્મચારીઓને છુટછાટ જાહેર કરી છે. જેને પગલે ભાજપ માટે કફોડી હાલત ઉભી થઈ છે.
ચંદ્રાબાબુ નાયડુનાં વડપણ હેઠળની આંધ્રપ્રદેશ સરકારે રમઝાન મહિનામાં મુસ્લીમ કર્મચારીઓને એક કલાક વહેલી રજા આપવાની જાહેરાત કરી છે.
આંધ્રપ્રદેશનાં આ નિર્ણય પુર્વે કોંગ્રેસ શાસીત તેલંગાણા સરકાર પણ સમાન નિર્ણય લીધો હતો જે અંતર્ગત 2 થી 31 માર્ચ સુધી રમઝાન મહિનામાં તમામ મુસ્લીમ કર્મચારીઓને સાંજે 4 વાગ્યે રજા આપવાનું જાહેર કર્યું હતું.
કોંગ્રેસ શાસીત રાજયના આ નિર્ણયની ભાજપે ટીકા કરી હતી. ભાજપના ધારાસભ્ય રાજાસિંઘે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર હિન્દુ તહેવારોને અવગણે છે. અને મુસ્લીમ પ્રત્યે ઉદારતા દાખવે છે. તમામને સમાન અધિકાર મળવા જોઈએ.
કોંગ્રેસ દ્વારા જોકે આ આરોપ ફગાવાયો હતો અને એવો દાવો કર્યો હતો કે ભાજપ શાસીત કેટલાંક રાજયોમાં પણ આવી સુવિધા અપાય જ છે અને વર્ષોથી આ પરંપરા છે. ગણેશ ચતુર્થી સહીતનાં હિન્દુ તહેવારોમાં પણ સમાન છુટછાટ અપાય જ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy