રાજકોટ,તા.21
AIILSG રાજકોટ દ્વારા 18 એપ્રિલ 2025ના રોજ હેમુગઢવી હોલ ખાતે સેનિટરી ઈન્સ્પેક્ટર કોર્સના વિદ્યાર્થીઓ માટે ’વિદ્યાદીપ 2025’ કોન્વોકેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.
સંસ્થાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સોનલબેન કરકરે દ્વારા ઉપસ્થિત મહેમાનોનો સક્ષિપ્ત પરિચય સાથે મહેમાનોનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય) ઉપસ્થિત રહ્યા. ડો. અલ્પેશ મોરજરીયા (કોર્પોરેટર) અને ડો. હાર્દિક ગોહિલ (કોર્પોરેટર) પણ અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા. ડો. મોરજરીયાએ તમામ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy