ઉના, તા.10
ભારત-પાક. વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારના બંદરોનાં ફિશીંગમાં ગયેલા તમામ માછીમારોને બોટ સાથે પરત કાં8ે બોલાવી લેવાયા છે.
આગામી 24 કલાક દરમિયાન રાજ્ય ના કેટલાય જિલ્લામાં વાતાવરણ અને ભારે વરસાદ પવન ફુંકાવા ની સંભાવના અને વર્તમાન ચાલતાં ભારત પાકિસ્તાન વચ્ચે નાં ઓપરેશન સિંદુર બાદ લશ્કરી કાર્યવાહી ને ધ્યાને લઇ ફીશરીઝ કમિશ્નર ગાંધીનગર દ્વારા ઉના નાં નવાબંદર,સૈયદ રાજપરા બંદર, જાફરાબાદ, શિયાળ બેટ, ચાંચ બંદર ની દરીયાઇ સીમા ની અંદર ફીશીગ કરવાં ગયેલી 828 બોટ અને તેમાં રહેલા છ હજાર જેટલા માછીમારી કરતાં ટંડેલ ખલાસી ને બોટ સાથે તાત્કાલિક કાંઠે પરંત બોલાવવા અને અન્ય આદેશ ન થાઈ ત્યાં સુધી ટોકન ની ફાળવણી નહીં કરવાં કડક રીતે સ્થાનિક ફીશરીઝ કચેરી ને આદેશ આપ્યા છે.
ઊના અને અમરેલી જિલ્લા નાં જાફરાબાદ જેવાં બંદર ની દરીયાઇ સીમા પર આઠ માસ સુધી ફીશીગ માં જતી બોટો ને ફીશરીઝ કચેરી દ્વારા ટોકન આપી દરીયા વચ્ચે માછીમારી કરવાં ની છુટ આપવામાં આવેછે અને સીઝન પૂર્ણ થવાનાં આરે છે.
ત્યારે અચાનક ખરાબ બનેલ હવામાન અને વાતાવરણ ને ધ્યાને રાખીને દરિયા વચ્ચે રહેલી જાફરાબાદ બંદર ની 385, ઉના નાં નવાબંદર ની 291, સૈયદ રાજપરા બંદર ની 136, ચાંચ બંદર ની 3 શિયાળબેટ ની 13 સહિત કુલ 828 બોટ અને ખલાસી ટંડેલ ને સેન્ટર ફીશરીઝ ગાર્ડ દ્વારા ગાંધીનગર નાં ફિશરીઝ કમિશ્નર નાં આદેશ અંતર્ગત પરત બોલાવી કાંઠા પર લંગારી દેવાં તમામ બોટ એસોસિયેશન પટેલો અને બોટ માલીકો ને કડક રીતે સુચના આપી છે અને ટોકન વગર એક પણ બોટ ખલાસી ટંડેલ સાથે દરીયા સીમા માં ફીશીગ કરતી મળી આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરીને તેનો એહવાલ ફીશરીઝ કમિશ્નર ને મોકલવા જણાવ્યું છે.
સાથે માછીમાર બોટ માલીકો ને હાલની પરીસ્થીતીને ધ્યાને લઇ મત્સ્યોદ્યોગ કમિશ્નર, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની માછીમારી બોટોને માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તમામ બોટને પરત બોલાવી લેવા માટે કાર્યવાહી હાથ ઘરાય રહીં છે દરીયાઇ સીમા સુરક્ષા ને ધ્યાને લઇ મત્સ્યોદ્યોગ કમિશ્ર્નર ગાંધીનગર દ્વારા ટોકન ની ફાળવણી નહીં કરવાં ફીશરીઝ સ્થાનિક કચેરી ને આદેશ કર્યો છે.
અંત્રે ઉલ્લેખનિય છે કે મુંબઈ આતંકવાદી ધટના સમયે સૌરાષ્ટ્ર ની બોટ નો ઉપયોગ કરાયો હતો જેમાં ઉના નાં સીમાસી ગામ નાં ટંડેલ નું મોત થયું હતું ભુતકાળ ની ભુલો નાં કારણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સરકાર નાં ફીશરીઝ કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી કરવાં માં આવી રહી છે.
માંગરોળ
માંગરોળ બંદરની માછીમારી કરવા ગયેલી એકહજાર જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવી છે અને મરીન કમાન્ડો દ્વારા દરીયા કિનારે તમામ બોટોનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ માંગરોળનો દરીયાકીનારા ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જ્યારે બીજીતરફ હાલ માચ્છીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને દરીયામા માચ્છીમારી કરવા જવા માટેનાં ટોકનો પણ બંધ કરવામાં આવ્યા છે. હાલ માંગરોળ શહેરમાં ચુસ્ત પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો છે. અને તમામ વાહનો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અને શંકાસ્પદ લોકો ઉપર પણ બાઝ નજર રાખવામા આવેલ છે.
પોરબંદર
દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ સ્ટાફની રજા રદ કરવામાં આવી છે તેમજ ઇમરજન્સી વોર્ડ તૈયાર કરાયો છે તો રક્તનો જથ્થો, અને દવા સહિતની ચીજવસ્તુઓ સ્ટોક કરવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં 14 બેડનો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.પોરબંદર જીલ્લાના ખાનગી પ્રેક્ટીસ કરતા સર્જન,અને ઓર્થોપેડિક સહિતના 10 જેટલા ડોકટરોને પણ ઓનકોલ રાખવામાં આવ્યા છે તો હોસ્પિટલમાં દવા,રક્ત તેમજ સર્જીકલ સમાનનો જથ્થો પણ સ્ટોક કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં રક્તનો જથ્થો ઉપલબ્ધ કરવા માટે સ્ટાફ અને વિદ્યાર્થીઓનો કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ પોરબંદર માં બોટો ને ફિશિંગ માટે ના ટોકન ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરાઈ છે તેમજ ફિશિંગ માં ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી છે- પોરબંદર ફિશરીઝ વિભાગે જીલ્લાના તમામ માછીમારો, એસોસિએશનો તથા આગેવાનોને જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને લઈ વડી કચેરી, દ્વારા માછીમારી બોટોને ટોકન આપવાનું બંધ કરાયું છે.
તેમજ માછીમારી માટે ગયેલ તમામ બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. માછીમારી માટે ગયેલ તમામ બોટ અને પીલાણાને તાત્કાલિક નજીકના બંદર પર પરત બોલાવી ઓનલાઈન ટોકનમાં ફરજિયાત રિટર્ન એન્ટ્રી કરવા જણાવવામાં આવ્યું છે.
જો કોઈ બોટ માલિક દ્વારા આ બાબતને ગંભીરતાથી આ લઈ બોટને તાત્કાલિક પરત બોલાવવામાં નહીં આવે તો આવા બોટ કે પીલાણા માલિક પર કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
ગીર સોમનાથ જીલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન
વેરાવળ તા.10
ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેથી દરિયાઈ માર્ગે આતંકી પ્રવૃત્તિ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્યઉદ્યોગ કેન્દ્ર આવેલ છે.
જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે. જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ટંડેલ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ બોટ માલીક દ્વારા ટંડેલને જયારે કામે રાખવામાં આવે તે પહેલા તેનું પોલીસ વેરીફિકેશન કરાવવા માટે તેમને જે તે પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે અને પોલીસ વેરીફિકેશન થયા બાદ જ તેમને કામે રાખવાના રહેશે. જે તે પોલીસ સ્ટેશને આવા ટંડેલની તમામ હકિકત અંગે યોગ્ય અને પૂરતી ચકાસણી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાનો પાત્ર થશે. આ જાહેરનામું 13/0પ/202પથી તારીખથી દિન-60 સુધી અમલમાં રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy