સુરત,તા.1
પહેલગામ ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના યુદ્ધના માહોલ વચ્ચે નૌકાદળનુ અતિ આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરતને આજે ગુજરાતના હજીરા બંદર પર લાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સુરક્ષાની દ્દષ્ટીએ આધુનિક ગાઈડેડ મિસાઈલ વીસ્ટ્રોયર સીસ્ટમ ધરાવતુ જહાજ ગુજરાતમાં તૈનાત કરાયુ તેને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જો કે, સતાવાર સૂત્રોએ એમ કહ્યું કે બે દિવસ યુદ્ધ જહાજ હજીરામાં જ રહેશે અને સામાન્ય લોકો પણ તેની મુલાકાત લઈને સુવિધાથી વાકેફ થઈ શકશે.
સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત આઈએનએસ સુરત યુદ્ધ જહાજ બરાક-8, બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ વેલફેર માટે 533 મીમી ચાર ટોરપીડો ટયુબ્સ તૈનાત કરી શકાય છે.
યુદ્ધ જહાજમાં એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિતના હથિયારો પણ તૈનાત છે. ચાર ઈન્ટરસેપ્ટર બોટ સહિત 50 અધિકારી, 250 નૌસૈનિકો રહી શકે છે. યુદ્ધ જહાજ સળંગ 45 દિવસ દરિયામાં રહી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જહાજનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાત સ્થાપના દિને પ્રથમ વખત ગુજરાતમાં આવ્યુ છે. આ યુદ્ધ જહાજ મારફત અરબી સમુદ્રની સપાટીથી હવામાં ઝડપથી ઉડતા ટારગેટને તોડી પાડવાનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
આ યુદ્ધ જહાજને ચાર માસ પુર્વે જ નૌસેનામાં સામેલ કરાયુ હતુ. દુશ્મનોના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેકનીક તથા મિસાઈલથી સજજ છે. સૌથી આધુનિક રડારતંત્ર, સુપરસોનિક સેન્સર્સ જેવા આધુનિક સાધનો પણ ધરાવે છે. પાકિસ્તાન સાથે તનાવ વચ્ચે સુરતના બંદરે યુદ્ધ જહાજના આગમનથી ઉતેજના સર્જાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy