(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.30
અમરેલી કેરીયાચાડ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરની નેશનલ કવોલીટી એનસોરન્સ સ્ટાન્ડર્ડ (દષ્બક) મુજબ 97.40પ્ ટકા સાથે પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્રારા તા. 27/3/2025નાં રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી.
તેમાં કેરીયાચાડ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારાઆપવામાં આવતી આરોગ્ય વિષયક સેવા અંગે નિરીક્ષણ કર્યુ હતું. અહીં સ્થાનિક સ્ટાફના ઈન્ટરવ્યુ, રેકોર્ડ રજીસ્ટર, ઓબ્ઝરવેશન વિગેરેની તપાસ કરી હતી.
તેમજ કેન્દ્રકક્ષાએ દજકચહ સંસ્થા ખાતે અહેવાલ રજુ કર્યો હતો. આ સિદ્ધી પ્રાપ્ત કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ. જોષી, તાલુકા આરોગ્ય અધિકારી 6 ષેફ ડો. આર.કે. જાટ, અમરેલી જિલ્લા દષ્બક ટીમના સભ્ય ડો. ધડુક અને ડો. દેવેન વ્યાસ, ડો.મનીષ જીયાણી, ડો. સોનલબેન રાબડીયા, વાંકિયા મેડિકલ ઓફિસર ડો.કિરણબેન શેલડીયાના માર્ગદર્શન હેઠળ કેરીયાચાડ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ ભાવીકાબેન વિરડીયા, સાવનભાઈ કકાણી, ભાવનાબેન હેલૈયા, આશાબહેન-વસંતબેન મોલાડીયા સહિતના વાંકિયા .
જહના તમામ આરોગ્ય કર્મચારી પુરૂષ અને સ્ત્રી, અમરેલી તાલુકાના દષ્બક ટીમના સી.એચ.ઓ સાથે અન્ય તાલુકાન દષ્બક ટીમ પણ સી.એચ.ઓ ચખકછ ટીમ મતહ ટીમ દ્વારા નેશનલ કક્ષાનું સર્ટિફિકેટ માટે કામગીરીની તૈયારી માટે ખંતથી જહેમત ઉઠાવી હતી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy