(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.18
અમરેલી શહેરમાં અંદાજિત પ થી 7 જેટલા શ્ર્વાન, આખલાઓ અને ગાય સહિતનાં પશુઓ જાહેરમાં ફરતાં જોવા મળી રહૃાા છે અનેપાલિકા દ્વારા માત્રને માત્ર 3પ જેટલી ગાયને ડબ્બે પુરીને સંતોષ માનવામાં આવી રહૃાો છે.
અમરેલી શહેરમાં રખડતા પશુઓને ડબ્બે પુરવા માટે પાલિકા દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યાને 4 થી પ મહિના જેટલો સમય પસાર થયો હોય જો એજન્સી પાસેથી પાલિકાએ નિયમ પ્રમાણે કામ લીધું હોત તો શહેરમાં એક પણ પશુ જાહેર માર્ગ પર જોવા ન મળત.
રખડતા પશુઓનાં કારણે શહેરમાં ગંદકી, અકસ્માત પણ વધતા હોય છે. નાના બાળકો, વૃઘ્ધો અને મહિલાઓ પણ પરેશાન હોવાથી પાલિકા ઘ્વારા રખડતા પશુઓને ડબ્બે પુરવાની કામગીરી પુન: શરૂ થાય તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy