ભાયાવદર, તા.10
ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે અથવા તો સત્તાધિશોની સહી કરાવવાની થાતી હોય છે.ત્યારે અરજદારો આવા સ્ટીકર જોઈને મુંઝવણમાં મુકાય જાય છે.
સામાન્ય રીતે પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરનો દરવાજો કાયમ પ્રજા માટે ખુલ્લો રહેતો જોવા મળતો હોય છે ત્યારે આ સત્તાધિશોને આ નવીન શોખ શું કામ જાગ્યો? તેવા પ્રશ્નો ઉભા થયા છે.
માયાબેન એ. વાછાણી કારોબારી અધ્યક્ષ શાસક રજા સીવાય અંદર આવવું છે નહીં. પ્રમુખ, કારોબારી ચેરમેનની ચેમ્બરના દરવાજા પર સ્ટીકર લગાવી દેવાતા આ મુદો લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે.
વિપક્ષના નેતાની કમિશનરને લેખિત રજૂઆત
વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે શાસકોને સમજાઈ જવું જોઈએ કે આપણે પ્રજાના નોકર છીએ પ્રજા આપણી નોકર નથી, તેમણે અંદર આવવા માટે પરવાનગી લેવાની ન હોય. તેમણે આ મુદ્દે કમિશનરને લેખિત પત્ર લખીને આવા ખોટા સ્ટીકરોને દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy