સુરત,તા.10
અહીંના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસના ઝેરી પદાર્થનું પાઉચ ભેળવી દઈ સામુહિક રીતે રત્ન કલાકારોની હત્યાના કાવતરાનો પર્દાફાશ થતા સનસનાટી ફેલાઈ છે.
આ ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી અસર થતા ચકકર આવવા લાગ્યા હતા. તબીયત લથડતા આ રત્ન કલાકારોને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. બે રત્ન કલાકારોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ કોણે નાખ્યુ? અંદરના જ કોઈ જાણભેદુએ નાખ્યું? પોલીસ કમિશ્ર્નરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે પોલીસે એફએસએલની સાથે ટીમ બનાવી અસરગ્રસ્ત 118 જેટલા આ કારખાનાના રત્ન કલાકારોના નિવેદન નોંધશે.
રત્ન કલાકારો ગઈકાલે નોકરી પર આવ્યા ત્યારે એકાદ કલાક બાદ રત્ન કલાકારોને ચકકર આવવા લાગ્યા હતા. રત્ન કલાકારોની સામુહિક હત્યાના ઈરાદાના ષડયંત્રની મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકને આવતા તેણે મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતા મેઈન મેનેજર હરેશભાઈએ પીવાનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું જેની અંદર સેલફોસનું પાઉચ તરતુ જોવા મળતા બધાની આંખો ફાટી ગઈ હતી.
આ સેલફોસ ઝેરનું પાઉચ અવાજમાં જીવાત ન પડે તે માટે અનાજમાં રાખવામાં આવે છે. કારખાનેદારે ભોગ બનેલ તમામ રત્ન કલાકારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા વ્યવસ્થા કરી હતી. જેમાં બે રત્ન કલાકારોની તબીયત વધુ બગડતા આઈસીયુમાં દાખલ કરાયા છે. આ મામલે સુરત પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy