► સર તન સે જુદા- સંદર્ભવાળી પોષ્ટમાં જવાબદારીના સમયે જ ગાયબ... લખ્યું: પાકના પુર્વ મંત્રીએ કોંગ્રેસની પોસ્ટ રી-ટ્વિટ કરતા વિવાદ વધ્યો
► લશ્કરે પાકિસ્તાન કોંગ્રેસ: ભાજપે કહ્યુ મીર જાફરના વંશજો ભારતમાં મૌજૂદ છે તે સંદેશ કોંગ્રેસ પક્ષે પાકિસ્તાન મોકલ્યો છે
નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ દેશમાં સર્જાયેલા પાકિસ્તાન સામેના આક્રોશમાં અત્યાર સુધી સંયમમાં રહેલા બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે જબરુ રાજકીય આક્ષેપબાજી શરુ થઈ છે.
કોંગ્રેસ પક્ષના સતાવાર એકમ હેન્ડલપર એક પોષ્ટરમાં જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરનું પોષ્ટર જેમાં માથુ ગાયબ હતું એવા ત્રાસવાદી ‘તન-સે સર-જુદા’ સ્ટાઈલ દર્શાવવામાં આવી હતી. તે અપલોડ કરતા જ અને ‘ગાયબ’ શબ્દ સાથે ઉપર ‘જીમ્મેદારી કે સમય ગાયબ’ તેવું કેપ્શન આપતા જબરો વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસ પક્ષે પહેલગામ હુમલા બાદ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીને ટાર્ગેટ બનાવી હતી. આ બેઠક સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહે લીધી હતી. હજું બે દિવસ પુર્વે લંડનમાં પહેલગામ હુમલાના વિરોધમાં ભારતીયોના દેખાવો સમયે પાક દૂતાવાસના એક અધિકારીએ આ રીતે દેખાવકારો બદલ ‘સર-તન-સે-જુદા’ તેવી ચેષ્ટા હાથથી કરી હતી તેની વ્યાપક ટીકા થઈ હતી.
તે સમયે કોંગ્રેસ પક્ષે અપલોડ કરેલી પોષ્ટને પાકના પુર્વ મંત્રી ફાવદ અહેમદ હુસેન ચૌધરીએ રીપોષ્ટ કરીને લખ્યુ કે અત્યાર સુધી ગધેડાનુ માથુ ગુમ થતા જોયું હતું પણ અહી મોદી જ ગુમ થયેલા જોવા મળે છે. જો કે કોંગ્રેસ પક્ષે વડાપ્રધાનનું નામ લખ્યુ નથી પણ જવાબદારીના સમયે જ ગ્રુપ એ સીધુ નીશાન વડાપ્રધાન મોદી તરફ જ છે.
ભાજપના પ્રવકતા ગૌરવ ભાટીયાએ એક પત્રકાર પરિષદમાં આ પોષ્ટ અને તેના કેપ્શન પર પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસ પક્ષ પાકિસ્તાનની ભાષા બોલે છે અને તે પાકના ટેકેદાર છે. તેઓએ કોંગ્રેસ પક્ષને લશ્કરે પાકિસ્તાન કોંગ્રેસ તરીકે ઓળખાવી હતી અને તે રીતે કોંગ્રેસ હવે પાકિસ્તાનને સંદેશ આપવા માંગે છે કે મીર જાફરના ટેકેદારો અહી મોજૂદ છે. સર-તન-સે-જુદા એ લશ્કરે પાકિસ્તાન કોંગ્રેસ બની છે.
આ પ્રકારના પોષ્ટ એ રાહુલ ગાંધીની સૂચનાથી મુકાઈ હોવાનો આક્ષેપ ભાજપના પ્રવકતાએ કર્યો હતો. એક તરફ દેશ સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તે સમયે લશ્કરે એ પાકિસ્તાન કોંગ્રેસના આ પ્રયાસ ભારતને નબળુ પાડવાનો છે. ભાજપે આ કૃત્ય મુસ્લીમ વોટબેન્કને પુરા કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
જો કે કોંગ્રેસ પક્ષ આ પોષ્ટ પર સીધો પ્રત્યાઘાત ટાળતા આક્ષેપ કર્યો કે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોજૂદ ન હતા અને અમો સંસદના ખાસ સત્રની માંગણી કરીએ છીએ જેમાં વડાપ્રધાને સંસદને સમગ્ર બાબતોથી માહિતગાર કરવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy