નવી દિલ્હી,તા.3
કોંગ્રેસના પંજાબના નેતા ચરણજીતસિંહ ચન્ની પુલવામા હુમલા બાદ કોઈ સર્જીકલ સ્ટ્રાઈક નથી થઈ તેવા વિવાદી નિવેદન ભાજપના નેતા અને પ્રવકતા સંબીત પાત્રાએ પલટવાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ આતંકીઓની મદદ કરવાનો કોઈ મોકો છોડતો નથી.
પ્રેસ કોન્ફરન્સમાં સંબીત પાત્રાએ જણાવ્યુ હતું કે બહારથી તે કોંગ્રેસ કાર્યસમીતી છે, પણ અંદરથી પાકિસ્તાન કાર્યસમીતી છે. કોંગ્રેસ કાર્ય સમીતીની ગઈકાલે બેઠક થઈ હતી.
જેમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પંજાબના પુર્વ સીએમ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે પુલવામાં આતંકી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક કયારેય નહોતી થઈ.
ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકીઓની મદદ કરવાનો કોઈ મોકો નથી છોડતી.
કોંગ્રેસ સેનાનું મનોબળ નબળુ પાડી રહી છે: ભાજપ પ્રવકતા શહજાદ પુનાવાલાએ કોંગ્રેસ પર નિશાન સાધના કહ્યું હતું કે કોંગ્રેસ હવે પાકિસ્તાન પરસ્ત પાર્ટી બની ગઈ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા કહે છે કે, પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી ન થવી જોઈએ. આ લોકો વારંવાર સેનાનું મનોબળ તોડવાની કોશિશ કરે છે. પહેલા રાહુલ ગાંધીએ પણ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. રોબર્ટ વાડ્રા અને અન્ય કોંગ્રેસ નેતાઓએ પાકિસ્તાનને કલીનચીટ આપી અને હિન્દુત્વના દોષી ઠેરવ્યુ.
એ હંમેશા પાકિસ્તાનના સૂરમાં સૂર મિલાવતા રહ્યા છે. આખો દેશ સેના સાથે ઉભો છે જેથી આતંકીઓને જડબાતોડ જવાબ આપી શકાય ત્યારે કોંગ્રેસ પાર્ટી સેનાનું મનોબળ તોડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચન્નીએ પુલવામા હુમલા મામલે સર્જીકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવ્યા હતા. ચન્નીએ કહ્યું હતું- અમે કયારેય નથી જોયું કે પાકિસ્તાનમાં કયાં હુમલા થયા હતા અને કયાં લોકો માર્યા ગયા હતા જો આપણા દેશમાં કોઈ બોમ્બ ફેંકે તો શું લોકોને ખબર ન પડે? પણ કંઈ થયું જ નહોતું, સર્જીકલ સ્ટ્રાઈક કયાંય દેખાઈ નહોતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy