રાજકોટ,તા.21
ગત તા.16-4-2025ના રોજ રાજકોટ મહાનગર પાલિકાની સીટી બસના ડ્રાઈવરે બેફામ બસ ચલાવતા કિલ્લોલ કરતી ચાર જીંદગીઓને હણી નાખી, મૃતકોના પરીવાર પ્રત્યે બ.સ.પા.રાજકોટ શાંતવના આપે છે. અને મૃતકોને આજરોજ તા.20/4/2025ના રોજ સાંજે 5 થી 7 દરમ્યાન જિલ્લા બ.સ.પા. કાર્યાલય ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
તેમજ ગંભીરરીતે ઘવાયેલા નિર્દોષ માનવો ઝડપથી સ્વસ્થ અને સહજ થાય એવી કામના કરવામાં આવી હતી. શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમમાં દિનેશભાઈ પડાયા (બ.સ.પા.રાજકોટ ઝોન પ્રભારી) માધુભાઈ ગોહેલ (કાર્યાલય સચિવ, બ.સ.પા.)વિનોદભાઈ રાઠોડ (જિલ્લા મહાસચિવ બ.સ.પા) લક્ષ્મણભાઈ વાણીયા (જિલ્લા બીવીએફ સહસંયોજક) દિપકભાઈ ગોહીલે (વિધાનસભા-69 રાજકોટ પ્રમુખ) લાલજીભાઈ ચાવડા (બ.સ.પા.યુવા લીડર) વિ.ઉપસ્થિત રહ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy