રાજકોટ. તા.30
પહેલગાવમાં થયેલ આંતકવાદી હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે જેતપુર અને ઉપલેટામાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડી બે મહિલા અને બાળકને નજરકેદ કરાયા હતાં. જેમની એસઓજી સાથે નેશનલ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
પહેલગાવમાં થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહિ જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહિ કરવા આદેશ આપેલ હોય.
જે બાબતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હીમકરસિંહ દ્વારા જીલ્લામાં ઘુસણખોરી કરનારા અન્ય દેશોના લોકોને ગંભીરતાપુર્વક કામગીરી કરી, શોધી કાઢવાની આપેલ સુચનાથી જેતપુર ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર પીઆઈ એ.ડી.પરમારને એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ સુવાએ જાણ કરેલ કે, જેતપુરમાં ગુજરાતી વાડીમાં જીમખાના મેદાન પાછળ દિનેશભાઇ ખોડાભાઇ પઘડાર સાથે રૂકશાનાબેન નામની મહિલા કોઇપણ પ્રકારના વિઝા કે, સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રહે છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા તપાસ કરાવતા રૂકશાબેન મહમંદ સદરૂદિન મહમદ ગુલામમિયા (આહબારીમિયા) મંડલ રહે.મોહલા હરીશંકરપુરી વિસ્તાર નંબર - 10 હરી શંકરપુર વોર્ડ - 2, થાણા જીનેદહ ( બાંગ્લાદેશ ) પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા મળી આવેલ નહિ તેમજ મહિલા પાસેથી એક તેના પરીવારના સભ્યનુ બાગ્લાદેશનુ ચુંટણી ઓળખકાર્ડ મળી આવેલ હતું. જેથી શંકાસ્પદ બાગ્લાદેશી નાગરીકને નજર કરેદ કરી એસઓજી ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વધુમાં પીઆઈ એ.ડી.પરમારે જણાવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં કુલ 50 થી વધુ પરપ્રાંતીય લોકોને તપાસવામાં આવ્યાં છે અને હજું પણ તપાસ યથાવત રાખવામાં આવશે.
તેમજ ઉપલેટા પોલીસે તપાસ હાથ ધરતાં શંકાસ્પદ એક મહિલા અને તેનું બાળક મળી આવતાં તેની સઘન તપાસ કરતાં તે પણ બાંગ્લાદેશી હોવાનું સામે આવતાં તેને પણ નજરકેદ કરી એસઓજીની ટીમ સાથે નેશનલ અને સ્ટેટની એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy