(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.9
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે. જેમાં પૂર્વ સરપંચ દ્વારા યોગ્ય રીતે ડેડ સ્ટોક નવા સભ્યોને સોપવામાં આવેલ ન હોવાની ઉચ્ચ અધિકારીને રજૂઆત છતાં કોઈ નિર્ણય ન થતા આખરે ગ્રામ પંચાયતને તાળા મારવાનો નિર્ણય કર્યો છે.
મળેલી વિગતો મુજબ મોટા મુંજીયાસર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ રમેશભાઈ સતાસિયા અને હાલના સરપંચ જયસુખભાઈ ખેતાણી વચ્ચે ડેડ સ્ટોક બાબતે ચાલી રહેલી વહીવટી લડાઈમાં તાલુકા જિલ્લાની કચેરીઓ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં ન આવતા આખરે સરપંચ જયસુખભાઈ ખેતાણીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી ગ્રામ પંચાયતને તાળું મારી દેવાની જાહેરાત કરી હતી જેને આજે 15 દિવસ જેટલો સમય વીતી ગયેલ છે.
જેથી આગામી 14 તારીખ ને બુધવાર ના રોજ તાળા બંધી કરવામાં આવશે અને સંપૂર્ણ વહીવટ બંધ કરવામાં આવશે તેમજ તેમ છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો જિલ્લા પંચાયત ખાતે ગાંધી ચીંધીયા માર્ગે ધરણા કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy