બગસરાના સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી સેવા સન્યાસ આશ્રમમાં રકતદાન કેમ્પ યોજાયેલ

Local | Rajkot | 21 April, 2025 | 03:31 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
અમરેલી જિલ્લાનાં બગસરા મુકામે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવા સંન્યાસ આશ્રમમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. માનવસેવા દ્વારા પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરનારા પ્રખર માનવતાવાદી, શિવયોગી, વિરલ સંત વિભૂતિ પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા દર્દીનારાયણની તદ્દન નિ:શુલ્કરૂપે માનવસેવા - આરોગ્ય સારવાર કરવાનાં શુભ હેતુથી ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત ’માનવસેવા હોસ્પિટલ’નાં દર્દીનારાયણના લાભાર્થે પૂજ્યપાદ સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત બગસરા મુકામે નિર્મિત સેવા સંન્યાસ આશ્રમના પવિત્ર પટાંગણમાં શ્રી મૃત્યુંજયેશ્વર મહાદેવ અને સદ્દગુરૂદેવની પાવન અનુકંપાથી ગત્ તા.20.04.2025ને રવિવારના રોજ સ્વામીજીનાં કૃપાપાત્ર સદ્દશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને તેઓશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે 08.00 કલાકે દીપ-પ્રાગટ્ય અને મંત્રોચ્ચાર સાથે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો.

ત્યારબાદ 10.00 કલાકે સ્વામીજી એ પોતાના પ્રવચનમાં માનવસેવા, પરોપકારમય જીવન અને શ્રી મૃત્યુંજયેશ્વર  મહાદેવનાં માહાત્મ્ય-ભક્તિ વિશે પ્રકાશ પાડ્યો હતો. આ પ્રંસગે આયોજિત રક્તદાન કેમ્પમાં 125 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ 825 જેટલા સત્સંગીજનો એ સત્સંગ પ્રવચન લાભ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj