(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.10
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી સહિતના વિસ્તારોમાં ડ્રોન વડે તેમજ હવાઈ હુમલો કરી, લોકોને વ્યાપક નુકસાની પહોંચાડવાની પેરવી કરવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિમાં આગામી સમયમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ ઈમરજન્સીના સમયે રક્તનો પુરવઠો પ્રાપ્ય બની રહે તેવા ઉમદા આશય સાથે ખંભાળિયાના ડોક્ટર એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આવતીકાલે રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ રક્તદાનના રાષ્ટ્રીય સેવાયજ્ઞમાં સહભાગી થઈ, વ્યાપક પ્રમાણમાં રક્તદાન થાય તે માટે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોને આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. ચંદ્રકાંત જાદવ તેમજ સેક્રેટરી ડો. પ્રકાશ ધારવિયા દ્વારા જણાવવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy