સોમવારે બુધ્ધપૂર્ણિમા વિશેષ

બુધ્ધપૂર્ણિમા : સિધ્ધાર્થથી બુધ્ધત્વ સુધીની યાત્રા

Dharmik | 10 May, 2025 | 12:38 PM
જન્મ, સંબોધિ અને નિર્વાણ બુધ્ધના જીવનની આ ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ વૈશાખ પૂર્ણિમાના દિવસે થઇ: આ સિધ્ધાર્થના બુધ્ધત્વ સુધીની યાત્રા છે, જેમાં તેમણે જનકલ્યાણ માટે મહાનિર્વાણનો પણ ત્યાગ કર્યો
સાંજ સમાચાર

ગૌતમબુધ્ધનું હૃદય કરૂણાશીલ હતું જાણ્યે તેમના હાથમાં કરૂણાનો સાગર હિલોળા મારી ન રહ્યો હોય. આ કરૂણા જ તેમના સુત્રોને માનવતાના કલ્યાણને પ્રેરક બનાવે છે. તેમનો ઉદેશ્ય બહારની દુનિયાને બદલવાનો નહોતો પરંતુ અંદરની સ્થિતિને બહારી જગતથી એકીકૃત કરવાનો હતો.

બુધ્ધનું એક પ્રસિધ્ધ ધમ્મસૂત્ર છે, મનુષ્યને જીવિત રહેવું પણ દુર્લભ છે. સદધર્મનું શ્રવણ કરવું પણ દુલર્ભ છે. સદધર્મનું શ્રવણ કરવું પણ દુર્લભ છે અને બુધ્ધોને ઉત્પન્ન થવું પણ દુર્લભ છે. મનુષ્ય હોવું એટલું આસાન નથી આટલું સરળ નથી.

જોકે એવું લાગતું નથી કે 140 કરોડથી વધારે જનસંખ્યા ભારતની જ છે. એનો મતલબ માનવ જન્મ સુલમ છે. ત્યારે તો સૌ પેદા થયા. પરંતુ બુધ્ધે કંઇક સમજી વિચારીને કહ્યું હશે, કારણ કે બુધ્ધ એવી વ્યકિત છે, જે માત્ર બોલવા માટે કોઇ વાત કહેતા નથી. પરંતુ વિજ્ઞાન, તર્ક, બુધ્ધિ, વિવેક વગેરેનો ઉપયોગ કર્યા બાદ જ મુખેથી વચન ફરમાવે છે. 

તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે માત્ર મનુષ્યનું શરીર મેળવ્યું તો શું થયું ? જો મનુષ્યતા ન મેળવી તો મનુષ્ય કઇ રીતે ગણાય ? મનુષ્ય શરીર કિંમતી છે. નિશ્ચિતપણે કિંમતી છે પરંતુ મનુષ્યનું શરીર મળી ગયું. હવે વધારે કશું ન જોઇએ. પણ એવું નથી.

જેમને ગુલાબની બીજ તમારા હાથમાં છે પરંતુ તે બીજને જયાં સુધી તમે ધરતીમાં વાવો નહી અને છોડ ન બને તેમાં ફુલ ન ઉગે ત્યાં ઉગે તમે તે બીજથી ઉગતા ફુલોની ખુશ્બુ મેળવી શકતા નથી.

એ પ્રમાણે મનુષ્યનું શરીર પણ એક બીજ જેવું છે. આ બીજને જો સાધનાની ભૂમિમાં વાવી દીધુ, જ્ઞાનરૂપી જળથી સિંચ્યુ, તપ દ્વારા પાકવા દીધુ પછી મનુષ્યતાનો જન્મ થઇ જાય. અન્યથા તો બીજ રૂપે પેદા થયા અને બીજરૂપે મૃત્યુ પામ્યા. ફુલ બની જ ન શકયા.

બુધ્ધ પૂર્ણિમા તે દિવસ છે જયારે બુધ્ધનો જન્મ થયો હતો. એક અદભુત વાત છે કે પૂર્ણ માસીના દિવસે બુધ્ધનો જન્મ થયો અને પૂર્ણમાસીના દિવસે જ તેમને સંબોધિ પ્રાપ્ત થઇ અને આ પૂર્ણમાસીના દિવસે જ તેમનું નિર્વાણ પણ થયું.

આ એક વિલક્ષણ વાત છે કે જે દિવસે જન્મ થયો તે દિવસે જ્ઞાન પણ અને પૂર્ણમાસીના જ નિર્વાણની પ્રાપ્તિ થઇ મારી દ્રષ્ટિથી બુધ્ધ પૂર્ણિમાનો દિવસ અતિ વિશેષ છે. ભલે બુધ્ધ આજે આપણે વચ્ચે નથી ભલે તથાગત શરીરથી શ્વાસ લેતા, ચાલતા-ફરતા જોવા મળતા નથી પચ્ચીસ સો વર્ષનું અંતર પડયું છે. રપ00 વર્ષ પહેલા બુધ્ધ ચાલ્યા ગયા  વિદાય થઇ ગયા પરંતુ આજના દિવસે બુધ્ધત્વની ઉર્જાનો વિસ્ફોટ અને વિતરણ આજે પણ થાય છે.

પહેલાના સમયમાં રાજા-મહારાજાના જન્મદિનના અવસરે અનેક લોકોની ફાંસી સુધી માફી અપાતી હતી. ઉપહાર  આપવામાં આવતા હતા. બુધ્ધ તો સમ્રાટોના સમ્રાટ હતા. રાજાઓના રાજા હતા.

બુધ્ધપૂર્ણિમાના દિવસે માત્ર તેમનો  જન્મોત્સવ જ નહીં તેમનો મરણોત્સવ પણ છે. તેમનો જ્ઞાનોત્સવ પણ છે અને તેમનો સંબોધિ ઉત્સવ પણ છે.  બુધ્ધના સુત્રોમાં જ એક સુત્ર છે, જેમાં તેમણે કહ્યું કે, બુધ્ધની સ્થિતિથી તો દેવતા પણ ઇર્ષ્યા કરે છે. સંબોધિ દેવતાઓને પણ ઉપલબ્ધ નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj