બજેટમાં નાના વેપાર ઉદ્યોગો - નિકાસકારોને ‘જામીન વિના ધિરાણ’ની જોગવાઈ જશે

India, Business | 24 January, 2025 | 02:32 PM
બન્ને ક્ષેત્રોમાં કાર્યકાળી મૂડીની સમસ્યા નિવારવા કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ વિચારણા
સાંજ સમાચાર

નવી દિલ્હી  :  સરકાર આગામી બજેટમાં નિકાસકારો અને નાના ઉદ્યોગોને ધિરાણ સહિત નાણાકીય સહાયને વધારવા માટેનાં પેકેજની જાહેરાત કરી શકે છે.  વાણિજ્ય વિભાગે પહેલાથી જ નાણાં મંત્રાલય સાથે પર્યાપ્ત ધિરાણ પ્રવાહ અને નિકાસકારો માટે ફેક્ટરિંગ અને ક્રેડિટ ગેરંટી જેવાં અન્ય સાધનોની ઉપલબ્ધતાની ખાતરી કરવા પર ચર્ચા કરી છે.

જેઓ તેનાં પર દબાણ હોવાની ફરિયાદ કરી રહ્યાં હતાં. વાસ્તવમાં, વિભાગ મુદ્દાઓને વિગતવાર સમજવા માટે એક ક્ધસલ્ટિંગ ફર્મ સાથે જોડાઈ હતી અને નોર્થ બ્લોક દ્વારા કેટલીક ભલામણોનું પુન:મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. નિકાસકારો અને માઇક્રો, સ્મોલ અને મીડિયમ બિઝનેસ માટે સમાન રીતે જોવામાં આવતાં વિકલ્પો પૈકી એક કોલેટરલ ફ્રી લોન છે.

ઘણીવાર નાનાં વ્યવસાયો, જેમાંથી ઘણાં કુટુંબ-માલિકીના સાહસો છે તેમને મૂડી મેળવવામાં મુશ્કેલી પડે છે. નિકાસકારોએ ફરિયાદ કરી છે કે બેંકો દ્વારા વાસ્તવિક લોનના પ્રવાહને ભારે ફટકો પડ્યો છે, જે કોલેટરલનો આગ્રહ રાખે છે.

વાસ્તવમાં, કોવિડ પછી, બેંકો દ્વારા અપાયેલી ગેરંટી-આધારિત લોનને વ્યવસાયો માટે વ્યાજબી દરે મૂડી મેળવવા માટે મોટી મદદ તરીકે જોવામાં આવી હતી, જ્યારે બેંકો મોટા ખરાબ દેવાથી ડર્યા વિના મુક્તપણે લોન આપે છે.

નિકાસકારો માટે, વ્યાજની સમાનતા યોજના, જે મહિનાઓથી નાણાં મંત્રાલય પાસે પેન્ડિંગ છે, તેને પણ લીલીઝંડી મળી શકે છે, જે ભારતીય વેપારીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં સાનુકૂળ રીતે સ્પર્ધા કરવામાં મદદ કરશે કારણ કે ઊંચો વ્યાજનો બોજ અને લોજિસ્ટિક્સ ખર્ચ બે મુખ્ય અવરોધો તરીકે જોવામાં આવે છે. આ બંને દુર થવાથી તેઓને રાહત મળશે. 

સરકાર માને છે કે, નાના ઉદ્યોગો અને નિકાસકારો, ખાસ કરીને ઉત્પાદન સાથે સંકળાયેલા, મોટા રોજગાર જનરેટર બની શકે છે અને એકંદર આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. આ વિચાર તેઓને જે પડકારોનો સામનો કરી રહ્યાં છે તેને દૂર કરવામાં મદદ કરવાનો છે.

ફાઇનાન્સ એ મુખ્ય બાબત છે. આરબીઆઈના તાજેતરનાં ડેટા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષમાં, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોની લોન 4.3 ટકા વધી છે, જ્યારે મધ્યમ કદના વ્યવસાયોની લોન 12 ટકા વધી છે.  એકંદરે ક્રેડિટ ગ્રોથ 6.6 ટકા થયો છે.

 

નાણાં મેળવવા સરળ બનાવશે 

♦ સરકાર નિકાસકારો અને  માઇક્રો, સ્મોલ અને મીડિયમ બિઝનેસ માટે કોલેટરલ ફ્રી ધિરાણ ઓફર કરવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે.
♦ મોટાભાગે નાનાં ઉદ્યોગોને મૂડી મેળવવામાં મુશ્કેલી પડે આનાથી તેમને લોન વધારવા માટે બેંકોને સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરશે.
♦ નિકાસકારો કહે છે કે, નિકાસકારો માટે વ્યાજ સમાનતા યોજનાને પણ લીલી ઝંડી મળી શકે છે.
♦ આ પગલાથી ભારતીય વેપારીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં અનુકૂળ સ્પર્ધા કરવામાં મદદ મળશે.
♦ હરીફો સાથે સ્પર્ધા કરવા માટે વ્યાજનો બોજ અને લોજિસ્ટિક્સ ખર્ચ બે મુખ્ય અવરોધો તરીકે જોવામાં આવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj