નવી દિલ્હી, તા. 9
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન હાલ ચાલી રહેલી એરસ્ટ્રાઇક, ક્રોસ બોર્ડર પર ફાયરીંગના કારણે સીએની પરીક્ષાઓ હાલ મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ 9 મેથી 14 મે દરમિયાન યોજાનાર હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની ફાઇનલ ઇન્ટરમિડિયેટ પોસ્ટ કવોલિફિકેશન કોર્સ પરીક્ષાઓના શિડયુલ યોજાયા હતા.
હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવનો માહોલ છે ત્યારે ચાર્ડર્ટ એકાઉન્ટન્ટ્સ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ કવોલિફિકેશન કોર્સ એકઝામિનેશન ઈન્ટરનેશનલ ટેકસેસન-એએસમેન્ટ ટેસ્ટ (આઇએનટીટી)ની મે 9 થી 14 દરમિયાન યોજાનારી પરીક્ષાઓ પોસ્ટ પોન્ડ કરવામાં આવી છે. તેમાં આઇસીએઆઇની યાદીમાં જણાવાયું છે.
આઇસીએઆઇએ વધુમાં જણાવાયુ છે કે, નવી તારીખ હવે પછી જાહેર થશે. ઉમેદવારોને સલાહ છે કે તેઓ ઇન્સ્ટીટયુટની વેબસાઇટના સંપર્કમાં રહે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy