રાજકોટ, તા. ર0
રાજકોટમાં કડકડતી ઠંડીના રાઉન્ડ દરમ્યાન રોગચાળો ઘટી રહ્યાનો દાવો મનપા આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળો નહીંવત નોંધાયો છે તો સીઝનલ રોગચાળાના 1પ67 જેટલા કેસ નોંધાયા છે.
મેલેરીયા શાખાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ તા. 13-1 થી 19-1ના સપ્તાહ દરમ્યાન મેલેરીયા અને ડેંગ્યુનો એક પણ કેસ ચોપડે ચડયો નથી. તો ચીકનગુનીયાનો એક દર્દી નોંધાયો છે.
શરદી-ઉધરસના 791, સામાન્ય તાવના 6પ7 અને ઝાડા-ઉલ્ટીના 117 દર્દી નોંધાયા છે. ખતરનાક તાવ ટાઇફોઇડનો પણ એક કેસ ચોપડે ચડયો છે. શિયાળામાં ચીકનગુનીયા અને ટાઇફોઇડ જેવા કેસ સરકારી ચોપડે નોંધાતા હોય, ખાનગી દવાખાનામાં પણ આ લક્ષણોવાળા દર્દીઓ વધુ હોઇ શકે છે.
આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહમાં 29,296 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 722 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો અંગે ટીમો દ્વારા ચકાસણી કરાઇ રહી છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 669 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંકમાં 273 અને કોર્મશીયલ 134 આસામીને નોટીસ આ5વામાં આવ્યાનું પણ વિભાગે જણાવ્યું હતું.
રોગચાળાના સપ્તાહના આંકડા રોગ સાપ્તાહિક કેસ
ચીકનગુનીયા 1
શરદી-ઉધરસ 791
સામાન્ય તાવ 657
ઝાડા-ઉલ્ટી 117
ટાઇફોઇડ 1
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy