રાજકોટ, તા. 30
ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ તબીબી વિદ્યાશાખાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા. 4ને રવિવારે ભરતી પરીક્ષા લેવાનાર છે.
રાજકોટમાં 6337 ઉમેદવારો આ પરીક્ષામાં બેસનાર હોય આ પગલા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તંત્રએ કમ્મર કસી દીધી છે.
ભરતી પરીક્ષા માટે રાજકોટમાં કેન્દ્રો નિયત કરવામાં આવેલ છે. ભરતી પરીક્ષાના આ 13 કેન્દ્રોના નોડલ અધિકારી તરીકે ડે.કલેકટરોને જવાબદારી કલેકટર પ્રભવ જોશી દ્વારા સોપી દેવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy