જામનગર તા.9: જામનગર શહેર અને જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં તેમજ ડોક્ટરો ક્લિનિકોમા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા રાજ્યપાલ,આરોગ્યમંત્રી સહિતના અધિકારીઓને કરતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતુઁ. અને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાનગી તબીબોને દર્દીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે યોગ્ય સુવિધા આપવા સૂચના આપી છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઈ મજીઠિયા દ્રારા રાજ્યપાલ અને આરોગ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે જામનગર શહેર અને જિલ્લામાં ખાનગી પ્રેકટીસ કરતા ડોક્ટરો તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને એપોરમેન્ટ થી લઈ જુદી જુદી અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જે અંગે સરકારીમાં રજુઆત કરી હતી. આ હાલાકીઓ દૂર કરવા માંગો સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઈ મજીઠિયા કરી હતી.
જે રજૂઆતને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું.તેઓ એક પરિપત્ર બહાર પાડીને તમામ ખાનગી ડોક્ટરો તેમજ હોસ્પિટલોમા સારવાર બાબતે અનેક મુશ્કેલીઓ પડે છે તેવી રજુઆત મેળલ છે.
આ બાબતે શહેર અને જિલ્લાના તમામ તબીબોને આ અંગે યોગ્ય કરવા સૂચના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા આપવામાં આવી છે. આમ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆતને સફળતા મળી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy