રાજકોટ, તા.21
શહેરમાં રહેતા ફરિયાદી હંસાબેન કેશવભાઈ પાનસુરીયાએ એચડીએફસી અરગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ દાખલ કરેલ ફરીયાદ ફોરમએ મંજુ2 કરી છે.
કેસની વિગત મુજબ, હંસાબેન કેશવભાઈ પાનસુરીયાએ એચડીએફસી અરગો જનરલ ઇન્સ્યોરન્સ માંથી માય હેલ્થ કોટી સુરક્ષા હેઠળ મેડીકલેઈમ પોલીસી તેમજ પર્સનલ એકસીડન્સ અંગેની પોલીસી લીધેલ હતી. હંસાબેન ઘરમાં કામકાજ કરતી સમયે પડી જવાથી ખંભાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા થતાં હોસ્પીટલમાં દાખલ થયા. સારવાર મેળવેલ. સારવારમાં થયેલ ખર્ચ અંગેનું હંસાબેનએ વીમા કંપની સમક્ષ કલેઇમ કરેલ.
કંપનીએ વ્યાજબી કારણ વગર કલેઈમ રદ કરેલ. જેથી હંસાબેનએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ વીમા કંપની સામે સેવામાં ક્ષતિ દાખવવા બદલ ફરીયાદ દાખલ કરેલ. રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમએ વીમા કંપનીએ હંસાબેન કેશવભાઈ પાનસુરીયાને વીમા પોલીસી અંર્તગત ચુકવવાની થતી રકમ રૂા. 2,65,187/- તા. 02-06-2023 થી વસુલ થતાં સદરહુ 9 ટકાના વ્યાજ તેમજ ફરીયાદીને થયેલ ખર્ચ પેટે રૂા. 5,000/- અલગથી ચુકવવાનો હુકમ કરેલ છે. કેસમાં ફરિયાદી હંસાબેન વતી વકીલ તરીકે અજય જે. વસોયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy