દિલ્હી, તા.9
ગઈકાલે રાતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હુમલામાં આપણા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં તેઓના તમામ ડ્રોન તોડી પાડવામા આવ્યા હતા. આવી પરિર્સ્થિતિમાં ગઈકાલે ધર્મશાલામા આયોજીત IPL ની મેચ અર્ધ વચ્ચે રોકી દેવામાં આવી હતી.
ગઈ કાલે IPL 2025ની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાયેલી 58મી મેચ સુરક્ષાના કારણસર અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી.
વરસાદના વિઘનને કારણે ટોસ સાંજે 07 ને બદલે 8.15 વાગ્યે અને મેચની શરૂઆત 7.30 ને બદલે 8.30 વાગ્યે થઈ હતી. પંજાબે ટોસ જીતીને 10.1 ઓવરમાં પ્રિયાંશ આર્ય (34 બોલમાં 70 રન) અને પ્રભસિમરન સિંહ (28 બોલમાં 50 રન અણનમું) વચ્ચેની શાનદાર ભાગીદારીના આધારે એક વિકેટના નુકસાન સાથે 122 રન ફટકાર્યા હતા.
કેપ્ટન શ્રેયસ ઐયર જ્યારે બેટિંગ માટે ઊતર્યો ત્યારે મેદાન પર કેટલીક લાઇટ્સ બંધ થઈ ગઈ હતી. શરૂઆતમાં એનું કારણ ફ્લડલાઇટ્સમાં ખામી હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં મેચ સંપૂર્ણ રીતે રોકીને ટીમો અને દર્શકોને તેમની સુરક્ષા માટે સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
IPL ના ચેરમેન અરૂણ ધુમલે પણ મેદાન પર ચક્કર લગાવી સ્ટેન્ડ્સમાં બેઠેલા ફેન્સને ઘરે જવા અપીલ કરી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળ્યું કે સ્ટેડિયમ બહાર જતાં ક્રિકેટ-ફેન્સે ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy