કરાચી: ભારતના ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનાં અનેક શહેરોમાં જોરદાર ડ્રોન અને મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યા છે જેને લીધે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે. કરાચીથી લઈને ઇસ્લામાબાદ સુધી ભારત હુમલા કરી રહ્યું છે.
ભારતના આ હુમલાથી ભારતના મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ઊંઘ ઊડી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ દાઉદ ઇબ્રાહિમ ભારતની એર સ્ટ્રાઇકથી ગભરાઈને કરાચી છોડીને ભાગી ગયો છે.
ભારતના ડરથી દાઉદ ઇબ્રાહિમ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે એકથી જગ્યાએથી બીજી જગ્યાએ ગયો છે. કરાચીથી દાઉદને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈંજઈંએ બીજા કોઈ સુરક્ષિત સ્થળે છુપાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
દાઉદ ઇબ્રાહિમ, તેની પત્ની મહઝબીન, પુત્ર મોઈન નાનો ભાઈ અનિસ ઇબ્રાહિમ, તેનો ડાબો હાથ છોટા શકીલ કરાચીમાંથી નીકળી ગયાં છે. તેમની સાથે બેન્ગકોકમાં છોટા રાજન પર હુમલો કરનારો ખાસ શૂટર મુન્ના ઝિંગાડા પણ હોવાનું કહેવાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy