નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદથી જ વીમા કંપનીઓ પર યુદ્ધના જોખમના વીમા અંગેની પૂછપરછનો વધારો થઈ રહ્યો છે. એડમે ઇન્શ્યોરન્સ બ્રોકર્સના સીઇઓ સંજય રાધાકૃષ્ણન જણાવે છે કે પૂછપરછમાં ચોક્કસપણે વધારો થયો છે, પરંતુ કેટલાક પગલાં લેવામાં આવ્યા બાદ અન્ડરરાઇટર્સ જમીન પર પડેલી મિલકત માટે યુદ્ધનું જોખમ કવચ આપવામાં ખચકાટ અનુભવે છે.
જો કે કાર્ગોના કિસ્સામાં, જ્યાં સુધી માલ કાર્ગોમાં હોય ત્યાં સુધી જોખમ કવર ઉપલબ્ધ છે. તેમણે વધુમાં સમજાવ્યું હતું કે જમીન પરની મિલકત માટેના યુદ્ધના રિસ્ક કવર આવરણમાં એવી કલમો છે જે વર્તમાન ઘટનાઓને યુદ્ધની નજીક હોવાનું માને છે અને તેથી કવરને બાકાત રાખે છે.
સામાન્ય રીતે કાર્ગો પોલિસીમાં યુદ્ધના જોખમનો સમાવેશ થતો નથી. તેને અલગથી કવર કરવું પડશે. વીમા કંપનીઓ વધારાનું પ્રીમિયમ વસૂલીને એન્ડોર્સમેન્ટ દ્વારા યુદ્ધના જોખમને આવરી લે છે. સામાન્ય રીતે, જ્યારે ભૌગોલિક રાજકીય તણાવ વધે છે, ત્યારે વીમા કંપનીઓ કાર્ગો પરના જોખમ પ્રીમિયમમાં વધારો કરે છે.
બજાજ એલિઆન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ ટેક્નિકલ ઓફિસર અમરનાથ સક્સેનાનું કહેવું છે કે, યુદ્ધના જોખમનું પ્રીમિયમ સામાન્ય રીતે રિઇન્શ્યોરન્સ વ્યવસ્થા પર આધારિત હોય છે. આ તેમના સંબંધિત ઇન્સ્યોરન્સ વિવિધ ઇન્સ્યોરન્સ કંપની પર આધારીત હોય છે.
આપણે ભૂતકાળમાં જોયું છે કે યુદ્ધના સમયે, રીઇન્સ્યોરન્સ ટ્રીટીજ રોકી દેવામાં આવે છે અને યુદ્ધ કવર પાછું ખેંચી શકાય છે. આવી સ્થિતિમાં દરિયાઇ કાર્ગો વીમાના દરમાં વધારો થઈ શકે છે.
લંડન સ્થિત સંયુક્ત યુદ્ધ સમિતિ (જેડબલ્યુસી) સતત વૈશ્વિક ભૂરાજકીય ઘટનાક્રમ પર નજર રાખે છે. જો કોઈ વિસ્તાર યુદ્ધ, ચાંચિયાગીરી અથવા હુમલાઓને કારણે ઊંચું જોખમ ધરાવતો બની જાય, તો જેડબલ્યુસી તેના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની યાદીને અપડેટ કરે છે.
વીમા કંપનીઓને અદ્યતન જોખમની સ્થિતિની જાણ કરવામાં આવે છે. આ વિસ્તારોમાંથી પસાર થતા કાર્ગો માટે, વીમા કંપનીઓ હાલના યુદ્ધના જોખમ કવરને રદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે નોટિસ ફટકારી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy