વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગરમાં ખાસ કરીને છેવાડાના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન આવતું હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે સિંધવનગરમાં અમુક વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી પાણી ન આવતું હોવાની રજૂઆતો કરવા છતાં સમસ્યા હલ ન થતી હોવાની લોકોએ મનપામાં રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર અને વઢવાણની જનતાને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરેલો છે. તેમ છતાં ખાસ કરીને શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં પૂરતા ફોર્સથી પાણી આવતું નથી તો અમુક વિસ્તારોમાં ગંદુ પાણી આવી રહ્યું છે. આ બાબતે રજૂઆતો કરવા માટે લોકોના ટોળા અવાર નવાર પાલિકામાં આવતા હોય છે.
ત્યારે શહેરના છેવાડે આવેલા સિંધવનગરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન આવતા મનપામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી તંત્રની ટીમ ફોલ્ટ શોધવા માટે આવે છે પરંતુ તેમને પાણીની લાઇન મળતી નથી. આથી ટીમ તપાસ કરીને રવાના થઇ જાય છે અને લોકોની સમસ્યા યથાવત રહે છે.
સ્થાનિક લોકોનું એવું પણ કહેવું હતું કે પહેલા પાણીની નવી લાઇન નાંખવાની હતી. મ આથી હવે ખોદકામ કરવામાં આવેતો રોડ તોડવા પડે છે. પાણીની લાઇન અને ફોલ્ટ શોધીને લોકોને તાત્કાલિક પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માગ કરી હતી.
આ બાબતે પાલિકાના એન્જિનિયર જણાવ્યું હતું કે આ સમસ્યાને ઉકેલ માટે પાલિકાએ અગાઉ ટીમ મોકલી આપી હતી પરંતુ લાઈન જે છે તે હાલ કઈ જગ્યાએ આવેલી છે તેનો પ્રશ્ન હોવાથી સમસ્યા હલ કરવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ તેમ છતાં આગામી સમયમાં લાઈન શોધીને પાણી શા માટે નથી આવતું તેની તપાસ કરી લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy