(સાગરસોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી) ધોરાજી, તા.10
લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત એમ.કે.એમ. વસોયા પટેલ વિદ્યામંદિર, ધોરાજી ધોરણ 12 કોમર્સ વિભાગના બોર્ડના પરિણામોમાં શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત એમ.કે.એમ. વસોયા પટેલ વિદ્યામંદિર, ધોરાજીના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થી નીરવ ધંધુકિયા એ 99.94 PR સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે.
તદુપરાંત, એમણે અર્થશાસ્ત્ર વિષયમાં 100 ગુણ મેળવ્યા છે. શાળાના અન્ય ચાર વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું છે: 2. મંગલાણી યોગેશ - 99.10 PR (નામાના મૂળ તત્વો વિષયમાં 100 ગુણ) 3. વાઘેલા સાગર - 95.64 PR (આંકડાશાસ્ત્ર વિષયમાં 100 ગુણ ) 4. અમેથીયા જૈમીન - 94.31 PR. ઘાંચી ફરહાન - 93.50 PR હાંસલ કર્યા છે.
આજે ચારે તરફ ખાનગી શિક્ષણના શોરગુલ વચ્ચે ધોરાજી શહેરની મધ્યમાં આવેલી શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટ ઇન એડ શાળા શ્રી એમ. કે. એમ. વસોયા પટેલ વિદ્યામંદિર ના વિધાર્થીઓની આ સુંદર સફળતાની પાછળ વિદ્યાર્થીઓની દૃઢ મહેનત, શિક્ષકોનું સચોટ માર્ગદર્શન અને શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓનો સકારાત્મક સહયોગ તથા પ્રોત્સાહક વાતાવરણ છે. સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકવૃંદને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy