મુંબઈ, તા.14
થોડા સમય પહેલા જ તમન્ના ભાટિયા અને વિજય વર્માએ બ્રેકઅપની જાહેરાત કરી હતી.પણ હજી સુધી તેમના બ્રેકઅપનું કોઈ નક્કર કારણ સામે નહોતું આવ્યું. જોકે હાલમાં એક જાણીતા પત્રકારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ બ્રેકઅપ પાછળના કારણનો ખુલાસો કર્યો છે.
આ ખુલાસા પ્રમાણે જ્યારે તમન્ના અને વિજય રિલેશનશિપમાં હતા ત્યારે તમન્નાના પિતા આ રિલેશનશિપની વિરુદ્ધમાં હતા. જોકે પછી તેઓ માની ગયા હતા અને તેમણે સ્વીકારી લીધું હતું કે તમન્ના અને વિજય 2024-’25માં લગ્ન કરવાનાં છે.
જોકે આ લગ્ન માટે નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે તમન્નાએ મૌન ધારણ કરી લીધું. જ્યારે પિતાએ આ મામલે સવાલ કર્યો ત્યારે તમન્નાએ જવાબ આપ્યો કે તે વિજય સાથે લગ્ન નથી કરવા માગતી કારણ કે તે આ રિલેશનશિપમાં સહજતા નથી અનુભવી રહી અને તેને વિજયના તેના પ્રત્યેના કમિટમેન્ટમાં શંકા છે.
તમન્નાને લાગતું હતું કે, વિજય તેના પર જાહેરમાં સતત તેની સાથે દેખાવા માટે દબાણ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં તમન્નાનાં માતા-પિતા આ વાતને જાહેર કઈ રીતે કરવી એ વિશે મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં.
આ દરમિયાન પરિવારના નિકટના મિત્ર અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ સલાહ આપી કે તમન્નાના બ્રેકઅપના સમાચાર ધીરે-ધીરે મીડિયા સુધી પહોંચાડી દેવા જોઈએ. તમન્ના અને તેના પરિવારે આ વાત માની અને આ રીતે તમન્ના અને વિજયના બ્રેકઅપની વાત જાહેર થઈ ગઈ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy