કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને અન્યો સામે ઈડીની મોટી કાર્યવાહી : 300 કરોડની સંપતિ જપ્ત

India | 18 January, 2025 | 05:05 PM
સાંજ સમાચાર

કર્નાટક ,તા.18
ઈડીની બેંગલુરુ ઝોનલ ઓફિસે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્યો સામે સંબંધિત કેસમાં 300 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ 142 સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. 

ઈડીના જણાવ્યાં અનુસાર, અટેચ કરેલી મિલકતો વિવિધ વ્યક્તિઓનાં નામે નોંધાયેલી છે, જેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને એજન્ટ તરીકે કામ કરે છે. ઇડીએ આઇપીસી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ લોકાયુક્ત પોલીસ મૈસુર દ્વારા સિદ્ધારમૈયા અને અન્યો સામે નોંધાયેલાં કેસોના આધારે તપાસ શરૂ કરી હતી.  

રાજકીય પ્રભાવના ઉપયોગના આરોપો 
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સીએમ સિદ્ધારમૈયાએ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હસ્તગત કરેલી 3 એકર જમીનના બદલામાં પત્ની બીએમ પાર્વતીના નામે 14 સાઇટ્સ માટે વળતર મેળવવા માટે રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો.

આ જમીન મૂળરૂપે એમયુડીએ દ્વારા 324700 રૂપિયામાં હસ્તગત કરવામાં આવી હતી. જ્યારે પોશ વિસ્તારમાં 14 સાઈટના રૂપમાં વળતર માટે 56 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં.  

બીએમ પાર્વતીને વળતરની જગ્યાઓની ગેરકાયદેસર ફાળવણીમાં ભૂતપૂર્વ એમયુડીએ કમિશનર ડીબી નટેશની ભૂમિકા પ્રકાશમાં આવી છે. પાર્વતીને ફાળવવામાં આવેલી 14 સાઇટ્સ સિવાય, એમયુડીએ દ્વારા રિયલ એસ્ટેટના વેપારીઓને વળતર તરીકે મોટી સંખ્યામાં સાઇટ્સ ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવી છે, જેમણે બદલામાં આ સાઇટ્સને નફામાં વેચી દીધી હતી અને મોટી રકમ બિનહિસાબી રોકડ મેળવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj