રાજકોટ, તા.30
જૂનાગઢના ઈવનગરમાં થયેલ હિટ એન્ડ રનના બનાવવામાં ઘવાયેલ વૃદ્ધ નરભીભાઇ કણસાગરાનું સારવારમાં મોત થયું હતું. નરભીભાઇ તા. 27/4 ના રોજ કુદરતી હાજતે જવા ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લીધા હતા. તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો હતો.
આ અંગે મળતી વિગત અનુસાર, નરભીભાઈ નાનજીભાઈ કણસાગરા (ઉંમર વર્ષ 70 રહે.ઇવ નગર તાલુકો જીલ્લો જુનાગઢ) ગઈ તારીખ 27/4 ના રોજ રાત્રે પોણા આઠ વાગ્યા દરમ્યાન ઇવનગરમાં મેંદરડા બાયપાસ રોડ પર કુદરતી હાજતે જવા માટે ચાલીને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.
ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને હડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત થતા નરભીભાઈને પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. અહીં ઇમરજન્સી વિભાગમાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે નરભીભાઈનું મૃત્યુ થયું હતું. નરભીભાઇ કડિયા કામની મજૂરી કરતા અને જુના કપડા વેચવાનો ધંધો કરતા હતા.
તેઓ પાંચ બેન અને ચાર ભાઈમાં મોટા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને ચાર દીકરી છે. અકસ્માત મૃત્યુના બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. જુનાગઢ પોલીસે અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy