જામનગર તા.28:
જામનગરમાં લાખોની દુકાનો હોવા છતાં ફુટપાથી રોકીને તેમજ જાહેર માર્ગો ઉપર અડચણ સર્જીને ધંધો કરતા રેંકડી-પથારાવાળાઓના ત્રાસથી રાહદારીઓને મુક્ત કરવા એસ્ટેટ શાખા દ્વારા મ્યુ.કમિશનર ડી.એન.મોદીની સુચનાથી આખો એપ્રિલ માસ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખી છે. જે અંતર્ગત શનિ-રવિવારમાં મ્યુ. એસ્ટેટ શાખાએ સંખ્યાબંધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને દબાણો હટાવવાની અને જપ્તીની કાર્યવાહી કરતા માર્ગો દબાણ મુક્ત થયા છે.
એસ્ટેટ વિભાગના દબાણ નિરિક્ષક અનવર ગજણ, ભગિરથસિંહ જાડેજા, નિતિનભાઈ મહેતા અને ટીમ દ્વારા એપ્રિલમાસના આરંભથી જ શહેરના પીએન માર્ગથી હોસ્પિટલ રોડ,પટેલકોલોની, એસટી રોડ, દિગ્વિજય પ્લોટ ચોકી સર્કલ, પવનચક્કી, રણજીતસાગર રોડ, ગુલાબનગર રોડ, ઈન્દીરા માર્ગ ઉપર જનતા ફાટકથી એરફોર્સ-ટુ ગેઈટ અને ત્યાંથી ગોકુલનગર સર્કલ સુધીમાં જાહેર માર્ગો ઉપર પથારા કરીને, રેંકડીઓ રાખીને તેમજ થાંભલાઓમાં પણ ગેરકાયદેસર અથવા મંજુરીની મુદ્દત્ત પુરી થઈ ગઈ હોવા છતાં જાહેરાતો ટીંગાતી રાખનાર વિજ્ઞાપનદાતાઓની જાહેરાતોના 2 હજારથી વધુ પાટીયા ઉતારવાની કાર્યવાહી કર્યા બાદ શનિવારે ખંભાળીયા ગેઈટથી ન્યુ સ્કુલ તરફના વિસ્તારમાંથી પાંચથી વધુ રેંકડીઓ, બર્ધન ચોકમાંથી 14 રેંકડીઓ, એક કાઉન્ટર, દિ.પ્લોટ 15 ના તળાવની પાળ તરફના છેડે રસના ધંધાર્થી સહિતની દુકાનો બહારથી 4 ટેબલો અને ખુરશીઓની જપ્તીની કામગીરી કરવામાં આવી હતી. બાદમાં રવિવારે સવારે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ નજીકથી નીકળતા 45 મીટર ડીપી રોડ ઉપરથી 15 ઝુંપડા હટાવવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy