ધ્રાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ગામે હળવદના રાજવી ચંદ્રસિંહજીએ 1250માં તળાવ બંધાવ્યું હતું. અદ્ભુત કોતરણી અને બાંધકામ માટે પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું 180 મીટર લાંબું અને 15 ફૂટ ઊંડું ચંદ્રાસર તળાવ ગામલોકોની પાણીની સમસ્યા તો દૂર કરે જ છે પણ ગામના તરવૈયા પણ તૈયાર કરે છે.
ગામના શિક્ષક અને તરણકળાના શોખીન કરસનભાઈ પટેલે આ તળાવમાં પ્રેક્ટિસ કરાવીને ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધર્યુ હતું. 1978થી તેમણે ગામનાં બાળકોને તરણકળા શીખવવાનું શરૂ કર્યું છે. આ કારણે અંદાજે 200 ઘર અને 2500ની વસ્તી ધરાવતા પ્રતાપપુર ગામમાં ઘેર ઘેર તરવૈયા છે.
અત્યાર સુધીમાં આ ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધરાયું હતું.અત્યાર સુધીમાં આ ગામના યુવાનોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 55 વાર ભાગ લઈને 6 મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે. તેવી જ રીતે 1200થી વધુ તરવૈયાએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને 60 મેડલ અને જિલ્લાકક્ષાની તરણ સ્પર્ધામાં 400થી વધુ મેડલ મેળવ્યાં છે.
નિવૃત શિક્ષક દ્વારા ગામના નાના બાળકોથી લઈને યુવકોને પણ દરરોજ સવારે અને સાંજે આ તળાવની અંદર તરતા શીખવે છે. સાથે બાળકો અને યુવાનો તળાવની અંદર વિવિધ પ્રકારની રમતો પણ રમે છે.(તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy